ગુજરાત : એક પરિચય (વન લાઈનર)
ભાગ : 4
301. પૂજય મોટાએ કયા મંત્રની સાધના કરવા કહ્યું હતું?
ઉત્તર : હરિ ૐ
302. અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.
ઉત્તર : ત્રિભુવનદાસ પટેલ
303. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું?
ઉત્તર : સુલતાન કુત્બુદ્દીન
304. નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?
ઉત્તર : તળાજા
305. ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે?
ઉત્તર : સંત બોડાણા
306. અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે?
ઉત્તર : અરવલ્લી
307. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?
ઉત્તર : સહ્યાદ્રિ
308. પાલિતાણાનાં જૈન-મંદિરો કયા પર્વત પર આવેલાં છે?
ઉત્તર : શેત્રુંજય
309. ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા?
ઉત્તર : રૂબીન ડેવીડ
310. ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?
ઉત્તર : માધવસિંહ સોલંકી
311. ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે?
ઉત્તર : કેવડિયા કોલોની
312. ગુજરાતમાં ડાયનાસોરનાં ઈંડાં કયાંથી મળી આવ્યાં છે?
ઉત્તર : રૈયાલી
313. ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે?
ઉત્તર : રાજપીપળા
314. સોલંકી વંશનો સૌથી વધારે પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો?
ઉત્તર : સિદ્ધરાજ જયસિંહ
315. ઈન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે?
ઉત્તર : ગાંધીનગર
316. ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે?
ઉત્તર : વૌઠા
317. ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે?
ઉત્તર : બરડીપાડા-જિ.ડાંગ
318. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?
ઉત્તર : પાકિસ્તાન
319. મનુભાઈ પંચોલીની કઈ નવલકથામાં જેલ જીવનના અંગત અનુભવો આલેખાયા છે?
ઉત્તર : બંદીયર
320. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે?
ઉત્તર : સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
321. સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કોણે કર્યો હતો?
ઉત્તર : પંડિત જવાહરલાલ નહેરુ
322. ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું?
ઉત્તર : ઝવેરચંદ મેઘાણી
323. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે?
ઉત્તર : 7 (સાત)
324. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?
ઉત્તર : કંડલા
325. પ્રથમ ગુજરાતી વડા પ્રધાન કોણ હતા?
ઉત્તર : મોરારજી દેસાઈ
326. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે?
ઉત્તર : વીર
327. ચાંપાનેરની ઐતિહાસિક સાઈટને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે?
ઉત્તર : વર્લ્ડ હેરિટેજ સાઈટ
328. કાંકરિયા તળાવના મધ્યમાં આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું?
ઉત્તર : સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે
329. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
ઉત્તર : નર્મદા
330. ગુજરાતના ક્યા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે?
ઉત્તર : નલિયા (-0.5 ડિગ્રી સે.)
331. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયાં પડે છે?
ઉત્તર : ડાંગ
332. ઈસબગુલનું સૌથી વધારે ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?
ઉત્તર : મહેસાણા
333. વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?
ઉત્તર : ભુજ
334. ભરૂચ શહેર કઇ નદીના કિનારે વસેલું છે?
ઉત્તર : નર્મદા
335. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન (NDDB) નું વડું મથક કયાં આવેલું છે?
ઉત્તર : આણંદ
336. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
ઉત્તર : ધુવારણ
337. સમાજસેવક અને દેશભક્ત ગુજરાતી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું?
ઉત્તર : મૂઠી ઊંચેરો માનવી
338. ગુજરાતમાં પ્રખ્યાત અક્ષરધામ કયાં આવેલું છે?
ઉત્તર : ગાંધીનગર
339. ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?
ઉત્તર : કચ્છ
340. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.
ઉત્તર : જયશંકર ભોજક
341. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'ના લેખક કોણ છે?
ઉત્તર : નારાયણ દેસાઈ
342. રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે?
ઉત્તર : જામ રણજિતસિંહજી
343. વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો.
ઉત્તર : ગીત શેઠી
344. ભક્ત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?
ઉત્તર : સમઢિયાળા, જિ. ભાવનગર
345. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે?
ઉત્તર : મોતીભાઈ અમીન
346. ગુજરાતનું સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું?
ઉત્તર : સુરત
347. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?
ઉત્તર : અંધજન મંડળ, અમદાવાદ
348. ગુજરાતનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે?
ઉત્તર : મધ્ય ગુજરાત
349. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકારે કરી હતી?
ઉત્તર : નાનાભાઈ ભટ્ટ
350. ગુજરાતનો એક માત્ર સમુદ્રકિનારો કે જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે, તેનું નામ શું છે?
ઉત્તર : ગોપનાથ
351. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે?
ઉત્તર : 8
352. કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતાં છે?
ઉત્તર : પ્રીતિસેન ગુપ્તા
353. કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિશે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?
ઉત્તર : જિતેન્દ્ર જટાશંકર રાવળ
354. એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયા શહેરમાં બનેલી છે?
ઉત્તર : સુરત
355. ઉત્તર ગુજરાતના ગામના યુવાનો કઈ પૂનમને દિવસે હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે?
ઉત્તર : કાર્તિક પૂર્ણિમા
356. “સંભવામિ યુગે યુગે’’ પુસ્તકના લેખક કોણ છે?
ઉત્તર : હરિન્દ્ર દવે
357. સૌપ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ કઈ હતી?
ઉત્તર : કૃષ્ણ-સુદામા
358. અસાઈતના વંશજો વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?
ઉત્તર : તરગાળા
359. કયા ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા?
ઉત્તર : કુમુદબહેન જોષી
360. જયુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ગુજરાતી ક્રિકેટર પર લખાયું છે?
ઉત્તર : જામ રણજિતસિંહજી
361. અષ્ટ્રાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા કયાં રચી હતી?
ઉત્તર : પ્રભાસ પાટણ-(વેરાવળ)
362. ઈ-ગ્રામ, વિશ્વગ્રામ યોજનાની શરૂઆત ગુજરાતના કયા જિલ્લામાં થઈ હતી?
ઉત્તર : અમરેલી
363. ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કાર્યકારી રાજ્યપાલ રહી ચૂકયા છે?
ઉત્તર : પાંચ
364. ગુજરાતમાં કયા શબ્દનો સમાનાર્થી શબ્દ નથી?
ઉત્તર : ભેખડ
365. માઝમ બંધ કયા સ્થળે બાંધવામાં આવ્યો છે?
ઉત્તર : મોડાસા
366. ગુજરાતની કઈ નગરપાલિકા પ્રતિ વર્ષ ત્રિઅંકી નાટ્યસ્પર્ધા યોજે છે?
ઉત્તર : સુરત
367. ગુજરાતમાં ગલતેશ્વર શિવાલય કયા યુગમાં બંધાયેલું છે?
ઉત્તર : સોલંકી યુગ
368. અભિસાર ખંડકાવ્ય કયા કવિનું છે?
ઉત્તર : સ્નેહરશ્મિ
369. પાનમ બંધ કયા જિલ્લામાં આવેલો છે?
ઉત્તર : દાહોદ
370. ગાંધીજીના રાજનૈતિક ગુરુ કોણ હતા?
ઉત્તર : ગોપાલકૃષ્ણ ગોખલે
371. પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ I.P.R. કયાં આવેલ છે?
ઉત્તર : ભાટ-ગાંધીનગર
372. વલ્લભવિધાનગર વિશ્વકર્મા કોણ છે?
ઉત્તર : ભાઈલાલ પટેલ
373. ગુજરાતના એક માત્ર સનદી અધિકારી તરીકે સેવા આપનારે એવરેસ્ટ આરોહણ કર્યું તેમનું નામ જણાવો.
ઉત્તર : અતુલ કરવાલ
374. ઈંગ્લિશ ચેનલ તરનાર એક માત્ર ગુજરાતી તૈરાક કોણ છે?
ઉત્તર : સુફિયાન શેખ
375. ‘માણસાઈના દીવા'ના લેખક કોણ છે?
ઉત્તર : ઝવેરચંદ મેઘાણી
376. ‘માણસાઈના દીવા' કયા મૂક સેવકને અનુલક્ષીને લખાઈ હતી?
ઉત્તર : રવિશંકર મહારાજ
377. હાલાર પ્રદેશનું કયું શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું?
ઉત્તર : જામનગર
378. ગુજરાતમાં હાલ કેટલા જિલ્લા આવેલા છે?
ઉત્તર : 33 (તેત્રીસ)
379. ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા?
ઉત્તર : જનરલ માણેકશા
380. કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની?
ઉત્તર : સંતશ્રી આપાગીગાબાપુ
381. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
ઉત્તર : દુર્ગારામ મહેતા, ઈ.સ. 1842 ( સુરત)
382. આઝાદી બાદ સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા?
ઉત્તર : ઉચ્છંગરાય ઢેબર
383. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર : આચાર્ય બુદ્ધિસાગરજી
384. ભવાઈના પ્રણેતાનું નામ જણાવો.
ઉત્તર : અસાઇત ઠાકુર
385. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું?
ઉત્તર : નાનજી કાલજીદાસ મહેતા
386. બજરંગદાસ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી?
ઉત્તર : બગદાણા
387. ગુજરાતી કવિ બાપુ સાહેબ ગાયકવાડ મૂળ ક્યાંના વતની હતા?
ઉત્તર : વડોદરા
388. કવિ રાજેન્દ્ર શાહને ગુજરાતી સાહિત્યમાં પ્રદાન માટે કયો એવોર્ડ એનાયત થયો હતો?
ઉત્તર : જ્ઞાનપીઠ એવોર્ડ
389. શેકસપિયર રચિત નાટક ‘ હેમ્લેટ’ નું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું હતું?
ઉત્તર : હંસા મહેતા
390. ઈ.સ. 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?
ઉત્તર : એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
391. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ નામના મેળવી હતી?
ઉત્તર : ડો. હોમી ભાભા
392. ભારતની સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી હતી?
ઉત્તર : કસ્તૂરભાઈ લાલભાઈ (અતુલ)
393. ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેક્ટ' તરીકે ગણવામાં આવે છે?
ઉત્તર : ઉકાઇ બંધ
394. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે?
ઉત્તર : રાજકોટ
395. ‘પીરોટીન ટાપુ' સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા છે?
ઉત્તર : જામનગર
396. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર કયાં આવેલું છે?
ઉત્તર : લુણેજ
397. ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા?
ઉત્તર : સ્વામી ગંગેશ્વર દાસજી
398. સુરત પાસે કયો દરિયાકિનારો હવાખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે?
ઉત્તર : ડુમ્મસ
399. ગાંધીજી યુવાન અવસ્થામાં દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા?
ઉત્તર : દાદા અબ્દુલ્લા એન્ડ કંપની
400. ઈંગ્લેન્ડ જનારા સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?
ઉત્તર : મહિપતરામ નીલકંઠ