ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 5

GIRISH BHARADA

 ગુજરાત : એક પરિચય (વન લાઈનર) ભાગ : 5


ગુજરાત : એક પરિચય (વન લાઈનર)

ભાગ : 5

પ્રશ્નો : 401 થી 500

401. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા?

ઉત્તર : રમણલાલ નીલકંઠ


402. ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ ના લેખક કોણ હતા?

ઉત્તર : ગોવર્ધનરામ ત્રિપાઠી


403. ગુજરાતમાં સૌપ્રથમ M.A.ની પદવી કોણે મેળવી હતી?

ઉત્તર : અંબાલાલ સાકરલાલ દેસાઈ


404. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી?

ઉત્તર : પૂર્ણિમાબહેન પકવાસા


405. હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું?

ઉત્તર : હરિભાઈ જરીવાલા


406. ગુજરાતમાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી?

ઉત્તર : અંબાલાલ સારાભાઈ


407. ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?

ઉત્તર : પ્રભાશંકર પટણી


408. લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' અખબાર કોણે શરૂ કર્યું હતું?

ઉત્તર : શ્યામજી કૃષ્ણ વર્મા


409. ‘ઉશનસ’ કયા કવિનું ઉપનામ છે?

ઉત્તર : નટવરલાલ પંડ્યા


410. સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : ભોળાભાઈ ખોડીદાસ પટેલ


411. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?

ઉત્તર : ફાર્બ્સ ગુજરાતી સભા


412. ગુજરાતમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી?

ઉત્તર : વડોદરા


413. દ્વારકાધીશનું નિજ મંદિર સૌપ્રથમ વાર કોણે બંધાવ્યું હતું?

ઉત્તર : વ્રજનાભ


414. ગુજરાતની પ્રથમ લો કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?

ઉત્તર : સરદાર પટેલ, કસ્તૂરભાઈ લાલભાઈ, પુરુષોત્તમ માવલંકર


415. મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે?

ઉત્તર : ગોમતીપુર


416. રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો?

ઉત્તર : ગોધરા


417. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે?

ઉત્તર : જ્ઞાનગંગોત્રી


418. ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું નામ શું છે?

ઉત્તર : પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી


419. બર્બરકજિષ્ણુ, અવંતીનાથ જેવાં બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા?

ઉત્તર : સિદ્ધરાજ જયસિંહ


420. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં નિયામક હતા?

ઉત્તર : ડો. આઈ. જી. પટેલ


421. સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા?

ઉત્તર : જનરલ રાજેન્દ્રસિંહજી


422. કચ્છના કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે?

ઉત્તર : કાળો ડુંગર


423. કોના નામે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી છે?

ઉત્તર : સરદાર પટેલ


424. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંબઈના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યું?

ઉત્તર : ફર્દુનજી મર્ઝબાન (1822)


425. તાના અને રીરી કયા ભક્ત કવિ સાથે લોહીના સંબંધ ધરાવે છે?

ઉત્તર : કવિ નરસિંહ મહેતા (દોહિત્રી)


426. કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?

ઉત્તર : ઉત્તર ગુજરાતના પ્રાંતિજ અને મોડાસા વચ્ચેથી


427. સાબરમતી નદીનું ઉદ્ગમસ્થાન કયું છે?

ઉત્તર : ઢેબર સરોવર- રાજસ્થાન


428. નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે?

ઉત્તર : પાનવડ


429. તાપી નદીનું આગમન ગુજરાતમાં કયાંથી થાય છે?

ઉત્તર : હરણફાળ


430. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે?

ઉત્તર : આજી


431. ગાંધીજીને પ્રિય ‘કાચબા-કાચબી’ નું પદ કોણે રચ્યું છે?

ઉત્તર : ભોજોભગત


432. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે?

ઉત્તર : શામળ


433. “કહ્યું કયે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી?” આ કાવ્ય પંક્તિ કયા કવિની છે?

ઉત્તર : શામળ


434. ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એવા કેવલાદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન ગુજરાતના કયા કવિએ કર્યું છે?

ઉત્તર : કવિ અખો


435. કવિ દયારામના જન્મસ્થળ ચાણોદનું મૂળ નામ શું છે?

ઉત્તર : ચંડીપુર


436. કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવી?

ઉત્તર : કવિ ધીરા


437. સમાજ સુધારક મહિપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી?

ઉત્તર : સાસુ વહુની લડાઈ


438. મહાત્મા ગાંધીને અંજલિ આપતું ‘હરિનો હંસલો' કાવ્યના સર્જક કોણ?

ઉત્તર : બાલમુકુંદ દવે


439. કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે?

ઉત્તર : રાજ્યરંગ


440. ‘થોડાં આંસુ થોડાં ફૂલ' આત્મકથા કોણે લખી છે?

ઉત્તર : જયશંકર સુંદરી


441. કેળની એક જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે?

ઉત્તર : ચોરવાડ


442. ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનિજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે?

ઉત્તર : સલ્ફર


443. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે?

ઉત્તર : દ્રૌપદી સ્વયંવર


444. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ ક્યો?

ઉત્તર : ખેડા સત્યાગ્રહ


445. મેશ્વો નદી પર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું?

ઉત્તર : શ્યામ સરોવર


446. ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા?

ઉત્તર : બળવંતરાય મહેતા


447. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે?

ઉત્તર : બાળસાહિત્ય


448. પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ શું હતું?

ઉત્તર : ચુનીલાલ આશારામ ભાવસાર


449. ગુજરાતમાં પવન ઊર્જાથી ચાલતાં મથકો કયાં આવેલાં છે?

ઉત્તર : ઓખા, માંડવી, લાંબા


450. હડપ્પીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી?

ઉત્તર : ડો. એસ. આર. રાવ


451. અમદાવાદ ટેક્સટાઈલ લેબર એસોસિયેશનની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : મહાત્મા ગાંધી


452. નર્મદના કયા કાવ્યમાં આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે?

ઉત્તર : વીરસિંહ


453. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે કયા વર્ષમાં શરૂ થયો?

ઉત્તર : ઈ.સ. 2003


454. ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ આ વિધાન કોનું છે?

ઉત્તર : બળવંતરાય ઠાકોર


455. અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે?

ઉત્તર : પાલનપુર


456. ગુજરાતમાં દાડમ તેમજ જામફ્ળના ઉત્પાદનમાં કયો જિલ્લો સૌથી જાણીતો છે?

ઉત્તર : ભાવનગર


457. ગુજરાતમાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયાં આવેલો છે?

ઉત્તર : મેથાણ


458. બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે?

ઉત્તર : સરસ્વતી


459. ગુજરાતનું જાણીતું વોટ્સન મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?

ઉત્તર : રાજકોટ


460. એક સમયે જ્યાં વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનું નામ આપો.

ઉત્તર : માંડવી


461. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?

ઉત્તર : અમદાવાદ


462. ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ આશરે કેટલાં વર્ષ જૂનો છે?

ઉત્તર : 150 વર્ષ


463. બોલિવુડ ફિલ્મ ‘દેવદાસ’ નું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે?

ઉત્તર : સંજય લીલા ભણસાલી


464. ગુજરાતના કયા સ્થળે સૌથી વધારેમાં વધારે વરસાદ પડે છે?

ઉત્તર : ધરમપુર (વલસાડ)


465. ગુજરાતનું સૌથી ઊંચું (સમુદ્ર સપાટીથી) સ્થળ કયું છે?

ઉત્તર : અસ્તંબા (1350 મી.)


466. ગુજરાત ખરેખર કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે?

ઉત્તર : 1660 કિ.મી.


467. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવી રાખે છે?

ઉત્તર : સિરવણ (સાસણગીર)


468. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે?

ઉત્તર : સીદી


469. કાંકરિયા તળાવ ઉપર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે?

ઉત્તર : સંત દાદુ દયાલ


470. વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે?

ઉત્તર : ઉના


471. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનું જન્મસ્થળ કયું છે?

ઉત્તર : બાવળા


472. ગુજરાતમાં સૂર્ય ઊર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે?

ઉત્તર : મેથાણ


473. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાય કઈ છે?

ઉત્તર : કાંકરેજી


474. નરેન્દ્ર મોદીએ જનશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ, જલશક્તિ અને રક્ષાશક્તિને શું નામ આપ્યું છે?

ઉત્તર : પંચામૃત


475. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપ બ્રેકિંગયાર્ડ કયાં આવેલું છે?

ઉત્તર : અલંગ (ભાવનગર)


476. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?

ઉત્તર : ભૂંગા


477. ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા?

ઉત્તર : સોમવાર


478. જૂનાગઢ નજીક આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું?

ઉત્તર : પોર્ટુગીઝ


479. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે?

ઉત્તર : ડો. વિક્રમ સારાભાઈ


480. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ગુજરાતમાં કયા આવેલું છે?

ઉત્તર : અમદાવાદ


481. ‘મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે’ ઉપરોક્ત પંક્તિ કયા ગઝલકારની છે?

ઉત્તર : હરજી લવજી દામાણી ‘શયદા’


482. ‘હરિનો મારગ છે શૂરાનો’ – પદ રચના કોની છે?

ઉત્તર : કવિ પ્રીતમદાસ


483. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો?

ઉત્તર : સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ


484. ગુજરાતનું સૌપ્રથમ થ્રી-ડી થિયેટર કયાં આવેલું છે?

ઉત્તર : સાયન્સ સીટી - અમદાવાદ


485. ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.

ઉત્તર : સફારી, નગેન્દ્ર વિજય


486. કયો મોઘલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?

ઉત્તર : ઔરંગઝેબ


487. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ કઈ ભાષામાં રચાયું હતું?

ઉત્તર : પ્રાકૃત


488. ભીલોના ઉત્કર્ષ કરવા માટે 1922માં ‘ભીલ સેવા મંડળ’ ની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : ઠક્કરબાપા


489. હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ અને સાંસારિક નામ શું હતું?

ઉત્તર : ધંધુકા, ચાંગદેવ


490. ગાંધીજીને ‘બાપુ’ નું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું?

ઉત્તર : ચંપારણ સત્યાગ્રહ


491. પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું?

ઉત્તર : ભરૂચ


492. અંબાજી માતાનું મંદિર કઈ પર્વતમાળામાં આવેલું છે?

ઉત્તર : અરવલ્લી


493. ગુજરાતનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું કયું છે?

ઉત્તર : ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)


494. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા?

ઉત્તર : કુકસવાડા ( ચોરવાડ)


495. ભાવનગર નજીક કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી?

ઉત્તર : વલભીપુર


496. ખારાઘોડા શાનાં ઉત્પાદન માટે જાણીતું છે?

ઉત્તર : મીઠું


497. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી?

ઉત્તર : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી


498. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.

ઉત્તર : બુદ્ધિપ્રકાશ


499. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે?

ઉત્તર : ગુજરાત વિદ્યાસભા


500. આદિવાસી પ્રજાના ઉત્થાન માટે જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતમાં ક્યો આશ્રમ સ્થાપ્યો હતો?

ઉત્તર : વેડછી આશ્રમ