ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ

ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 2. ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિત કલા

MCQ : 130


(1) ભારત સમૃદ્ધ…………….વારસો ધરાવતો દેશ છે.

(A) પૌરાણિક

(B) સાંસ્કૃતિક

(C) સામાજિક

(D) એકપણ નહિ

જવાબ : (B) સાંસ્કૃતિક


(2) પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે ……………. કલાઓ પ્રવર્તતી હતી.

(A) 64

(B) 68

(C) 54

(D) એકપણ નહિ

જવાબ : (A) 64


(3) આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન………………વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે.

(A) રસાયણ

(B) વાસ્તુ

(C) યોગ

(D) એકપણ નહિ

જવાબ : (C) યોગ


(4) આજે સમગ્ર વિશ્વ.............ના દિવસને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે મનાવે છે.

(A) 5 જૂનB.

(B) 21 જૂન

(C) 5 સપ્ટેમ્બર

(D) એકપણ નહિ

જવાબ : (B) 21 જૂન


(5) માનવજીવન અને………………વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે.

(A) માટી

(B) વૃક્ષો

(C) હસ્તકલા

(D) એકપણ નહિ

જવાબ : (A) માટી


(6) કુંભારનો ચાકડો...............માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય.

(A) લુહારકામ

(B) સુથારકામ

(C) માટીકામ

(D) એકપણ નહિ

જવાબ : (C) માટીકામ


(7) કાચી માટીમાંથી પકવેલાં.............વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે.

(A) ટેરાકૉટા

(B) ડેરાકૉટા

(C) જેમાકૉટા

(D) એકપણ નહિ

જવાબ : (A) ટેરાકૉટા


(8) દક્ષિણ ભારતમાં................માંથી હાથથી બનાવેલાં માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.

(A) મદુરાઈ

(B) કાંચીપુરમ્

(C) નાગાર્જુન કોંડા

(D) એકપણ નહિ

જવાબ : (C) નાગાર્જુન કોંડા


(9) ગુજરાતમાં...........માંથી હાથથી બનાવેલા માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.

(A) મોઢેરા

(B) લાંધણજ

(C) ગોઝારિયા

(D) એકપણ નહિ

જવાબ : (B) લાંધણજ


(10) વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા...............સાથે જોડાયેલી રહે છે.

(A) અકીક

(B) પથ્થર

(C) માટી

(D) એકપણ નહિ

જવાબ : (C) માટી


(11) મહાત્મા ગાંધીએ.............. ના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું.

(A) હાથવણાટ

(B) કાંતણવણાટ

(C) હસ્તકલા

(D) એકપણ નહિ

જવાબ : (B) કાંતણવણાટ


(12) પ્રાચીન સમયથી ભારત...............ક્ષેત્રે જાણીતું છે.

(A) વસ્ત્રવિદ્યા

(B) ધાતુવિદ્યા

(C) રસાયણવિદ્યા

(D) એકપણ નહિ

જવાબ : (A) વસ્ત્રવિદ્યા


(13) ………………..ની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો હતો.

(A) કોલકાતા

(B) બનારસ

(C) ઢાકા

(D) એકપણ નહિ

જવાબ : (C) ઢાકા


(14) ઢાકાની સાડી……………..માંથી પસાર થઈ જતી હતી.

(A) ભૂંગળ

(B) વીંટી

(C) કળશ

(D) એકપણ નહિ

જવાબ : (B) વીંટી


(15) ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન તે વખતનામાં…………….અનેક કારીગરો (સાળવીઓ) આવીને વસ્યા હતા.

(A) પાટણ

(B) અમદાવાદ

(C) વિસનગર

(D) એકપણ નહિ

જવાબ : (A) પાટણ


(16) પાટણનાં……………….નો હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે.

(A) ઘરેણાં

(B) પટોળાં

(C) રમકડાં

(D) એકપણ નહિ

જવાબ : (B) પટોળાં


(17) પાટણમાં બનતાં રેશમી વસ્ત્ર……………..ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે.

(A) બેવડ-યુક્ત

(B) બેવડ-પક્ત

(C) બેવડ-ઇક્ત

(D) એકપણ નહિ

જવાબ : (C) બેવડ-ઇક્ત


(18) હડપ્પા અને મોંહે-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી……………. પર પણ ભરતગૂંથણ કામ જોવા મળ્યું છે.

(A) મૂર્તિઓ

(B) પૂતળીઓ

(C) ઈંઢોળીઓ

(D) એકપણ નહિ

જવાબ : (A) મૂર્તિઓ


(19) સિંધુખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને…………….નાં સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે.

(A) રાજસ્થાન

(B) કચ્છ

(C) પંજાબ

(D) એકપણ નહિ

જવાબ : (B) કચ્છ


(20) ગુજરાતના.................જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના પરની મનોહર ડિઝાઇનો માટે જાણીતા છે.

(A) જોનપુર

(B) પાલનપુર

(C) જામનગર

(D) એકપણ નહિ

જવાબ : (C) જામનગર


(21) ભારતમાં જરીકામના હુન્નર માટે..............શહેર જાણીતું છે.

(A) સુરત

(B) બનારસ

(C) રાજકોટ

(D) એકપણ નહિ

જવાબ : (A) સુરત


(22) પાષાણયુગ પછીના ધાતુયુગમાં.............વિકસી.

(A) કાષ્ઠકલા

(B) કૃષિવિદ્યા

(C) ધાતુવિધા

(D) એકપણ નહિ

જવાબ : (C) ધાતુવિધા


(23) યુદ્ધોમાં વપરાતી...............માં પણ પ્રાણીઓનાં ચામડાનો ઉપયોગ થતો હતો.

(A) મશકો

(B) ઢાલ

(C) પખાજ

(D) એકપણ નહિ

જવાબ : (B) ઢાલ


(24) ..................કારીગરો ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા.

(A) લોથલ

(B) ધોળાવીરા

(C) મોહેં-જો-દડો

(D) એકપણ નહિ

જવાબ : (A) લોથલ


(25) ગુજરાતમાં……………..ફર્નિચર તથા લાકડાના હીંચકા માટે જાણીતું છે.

(A) ઈડર

(B) સંખેડા

(C) કપડવંજ

(D) એકપણ નહિ

જવાબ : (B) સંખેડા


(26) ગુજરાતમાં……………..…નાં રમકડાં જાણીતાં છે.

(A) સંખેડા

(B) જામનગર

(C) ઈડર

(D) એકપણ નહિ

જવાબ : (C) ઈડર


(27) રાજસ્થાનનું…………….શહેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે.

(A) બિકાનેર

(B) અજમેર

(C) જયપુર

(D) એકપણ નહિ

જવાબ : (A) બિકાનેર


(28) …………….. એ ભારતની કેટલીક નદીઓના ખીણપ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે.

(A) તકીક

(B) કકીક

(C) અકીક

(D) એકપણ નહિ

જવાબ : (C) અકીક


(29) મુખ્યત્વે સિલિકામિશ્રિત ભૂરા કે સફેદ રંગના (કૅલ્સિડોનિક) પથ્થરોને……………..તરીકે ઓળખવામાં આવે છે.

(A) અકીક

(B) કકીક

(C) આરસપહાણ

(D) એકપણ નહિ

જવાબ : (A) અકીક


(30) અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે…………..મોકલવામાં આવે છે.

(A) જેતપુર

(B) ખંભાત

(C) ભુજ

(D) એકપણ નહિ

જવાબ : (B) ખંભાત


(31) ……………. નું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે.

(A) ચિત્રકલા

(B) નૃત્યકલા

(C) નાટ્યકલા

(D) એકપણ નહિ

જવાબ : (A) ચિત્રકલા


(32) આશરે 5000 વર્ષ જૂની………………. સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે.

(A) મોંગોલિયન

(B) ઇજિપ્તની

(C) હડપ્પીયન

(D) એકપણ નહિ

જવાબ : (C) હડપ્પીયન


(33) પાષાણયુગના આદિમાનવનાં……………માં પશુ-પક્ષીઓનાં આલેખનો જોવા મળે છે.

(A) ભીંતચિત્રો

(B) ગુફાચિત્રો

(C) પાષાણચિત્રો

(D) એકપણ નહિ

જવાબ : (B) ગુફાચિત્રો


(34) …………………ના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.

(A) હડપ્પા

(B) ધોળાવીરા

(C) લોથલ

(D) એકપણ નહિ

જવાબ : (A) હડપ્પા


(35) ……………નાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે.

(A) બાઘ

(B) ઍલિફન્ટા

(C) અજંતા-ઇલોરા

(D) એકપણ નહિ

જવાબ : (C) અજંતા-ઇલોરા


(36) ભારતીય સંગીત સ્વર, લય અને.................ની દૃષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે.

(A) તાલ

(B) ભાવ

(C) મુદ્રા

(D) એકપણ નહિ

જવાબ : (A) તાલ


(37) આપણા 4 વેદો પૈકી..............એ સંગીતનો વેદ ગણાય છે.

(A) યજુર્વેદ

(B) ઋગ્વેદ

(C) સામવેદ

(D) એકપણ નહિ

જવાબ : (C) સામવેદ


(38) …………….ની ઋચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે.

(A) અથર્વવેદ

(B) સામવેદ

(C) ઋગ્વેદ

(D) એકપણ નહિ

જવાબ : (B) સામવેદ


(39) …………….માં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે.

(A) નૃત્ય

(B) નાટ્ય

(C) સંગીત

(D) એકપણ નહિ

જવાબ : (C) સંગીત


(40) સા, રે, ગ, મ, ૫, ધ, ની એ સંગીતના મુખ્ય……………….સ્વર છે.

(A) 7

(B) 9

(C) 11

(D) 8

જવાબ : (A) 7


(41) ભારતીય સંગીતના 5 રાગો ભગવાન………….નાં પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.

(A) બ્રહ્મા

(B) વિષ્ણુ

(C) શંકર

(D) એકપણ નહિ

જવાબ : (C) શંકર


(42) ‘સંગીત મકરંદ' એ સંગીતશાસ્ત્રના જ્ઞાતા પંડિત…………..ઈ. સ. 900ના અરસામાં લખ્યો હતો.

(A) અહોબલે

(B) નારદે

(C) સારંગદેવે

(D) એકપણ નહિ

જવાબ : (B) નારદે


(43) ………………'માં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે.

(A) સંગીત મકરંદ

(B) સંગીત રત્નાકર

(C) સંગીત પારિજાત

(D) એકપણ નહિ

જવાબ : (A) સંગીત મકરંદ


(44) ‘સંગીત રત્નાકર' એ સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત……………..રચ્યો હતો.

(A) અહોબલે

(B) સારંગદેવે

(C) નારદે

(D) એકપણ નહિ

જવાબ : (B) સારંગદેવે


(45) પંડિત સારંગદેવ……………….ના નિવાસી હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા.

(A) દોલતાબાદ (દેવગિરિ)

(B) સિકંદરાબાદ

(C) હૈદરાબાદ

(D) એકપણ નહિ

જવાબ : (B) સિકંદરાબાદ


(46) પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ……………………ને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.

(A) સંગીત પારિજાત

(B) સંગીત રત્નાકર

(C) સંગીત મકરંદ

(D) એકપણ નહિ

જવાબ : (B) સંગીત રત્નાકર


(47) પંડિત અહોબલે ઈ. સ. 1665માં ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત………ગ્રંથની રચના કરી હતી.

(A) રત્નાકર

(B) મકરંદ

(C) પારિજાત

(D) એકપણ નહિ

જવાબ : (C) પારિજાત


(48) પંડિત..............એ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.

(A) અહોબલે

(B) નારદે

(C) સારંગદેવે

(D) એકપણ નહિ

જવાબ : (A) અહોબલે


(49) ભારતમાં સંગીતક્ષેત્રે અમીર ખુશરો....................તરીકે જાણીતા હતા.

(A) યુતી-એ-સંગીત

(B) તુતી-એ-સંગીત

(C) તુતી-એ-હિંદ

(D) એકપણ નહિ

જવાબ : (C) તુતી-એ-હિંદ


(50) બૈજુ બાવરા અને તાનસેન સ્વામી...............ના શિષ્યો હતા.

(A) રામદાસ

(B) હરિદાસ

(C) ગોપાલદાસ

(D) એકપણ નહિ

જવાબ : (B) હરિદાસ


(51) નૃત્ય શબ્દની વ્યુપત્તિ મૂળ સંસ્કૃત શબ્દ………………ઉપરથી થઈ છે.

(A) કૃત્

(B) નૃત્ (નૃત્ય કરવું)

(C) યુત્

(D) એકપણ નહિ

જવાબ : (B) નૃત્ (નૃત્ય કરવું)


(52) નૃત્ય એ તાલ અને લય સાથે ………………ની અનુભૂતિ કરાવે છે.

(A) સૌંદર્ય

(B) ભાવ

(C) કલા

(D) એકપણ નહિ

જવાબ : (A) સૌંદર્ય


(53) નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ....................ગણાય છે.

(A) નટરાજ

(B) વિષ્ણુ

(C) કૃષ્ણ

(D) એકપણ નહિ

જવાબ : (A) નટરાજ


(54) ભરતનાટ્યમનું ઉદ્ભવસ્થાન તમિલનાડુ રાજ્યનો……………..જિલ્લો ગણાય છે.

(A) કોઇમ્બતૂર

(B) મદુરાઈ

(C) તાંજોર

(D) એકપણ નહિ

જવાબ : (C) તાંજોર


(55) ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વરરચિત ‘અભિનવ દર્પણ'……………. નૃત્યશૈલીના આધાર-સ્રોત ગણાય છે.

(A) કૂચીપુડી

(B) ભરતનાટ્યમ્

(C) કથકલી

(D) એકપણ નહિ

જવાબ : (B) ભરતનાટ્યમ્


(56) મૃણાલિની સારાભાઈ અને ગોપીકૃષ્ણ……………..નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે.

(A) ભરતનાટ્યમ્

(B) કથક

(C) કથકલી

(D) એકપણ નહિ

જવાબ : (A) ભરતનાટ્યમ્


(57) વૈજયંતીમાલા અને હેમામાલિની................નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે.

(A) કથકલી

(B) કથક

(C) ભરતનાટ્યમ્

(D) એકપણ નહિ

જવાબ : (C) ભરતનાટ્યમ્


(58) ……………. નૃત્યશૈલીની રચના 15મી સદીના સમયમાં થઈ છે.

(A) મણિપુરી

(B) કૂચીપુડી

(C) ભરતનાટ્યમ્

(D) એકપણ નહિ

જવાબ : (B) કૂચીપુડી


(59) ………………નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે.

(A) કૂચીપુડી

(B) કથક

(C) કથકલી

(D) એકપણ નહિ

જવાબ : (A) કૂચીપુડી


(60) …………….. નૃત્ય કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.

(A) કથક

(B) ભરતનાટ્યમ્

(C) કથકલી

(D) એકપણ નહિ

જવાબ : (C) કથકલી


(61) …………….. નૃત્યની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે.

(A) કથક

(B) કથકલી

(C) મણિપુરી

(D) એકપણ નહિ

જવાબ : (B) કથકલી


(62) કેરલના કવિ શ્રી વલ્લભથોળ, કલામંડલમ્, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેએ.............. નૃત્યશૈલીને દેશ-વિદેશમાં નામના અપાવી છે.

(A) કથકલી

(B) કથક

(C) ભરતનાટ્યમ્

(D) એકપણ નહિ

જવાબ : (A) કથકલી


(63) ‘કથન કરે સો કથક કહાવે' વાક્ય પરથી………………નૃત્ય ઊતરી આવ્યું છે.

(A) કથક

(B) કથકલી

(C) ભરતનાટ્યમ્

(D) એકપણ નહિ

જવાબ : (A) કથક


(64) ……………… નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.

(A) કથકલી

(B) મણિપુરી

(C) કથક

(D) એકપણ નહિ

જવાબ : (C) કથક


(65) પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારામ દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ................ નૃત્યકલાને જીવંત રાખી છે.

(A) કથક

(B) મણિપુરી

(C) કથકલી

(D) એકપણ નહિ

જવાબ : (A) કથક


(66) .................નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.

(A) મણિપુરી

(B) કથકલી

(C) કથક

(D) એકપણ નહિ

જવાબ : (A) મણિપુરી


(67) ……………….નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.

(A) ભરતનાટ્યમ્

(B) મણિપુરી

(C) કથકલી

(D) એકપણ નહિ

જવાબ : (B) મણિપુરી


(68) મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો ક્બજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો દોરવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો……………..પહેરવામાં આવે છે.

(A) કુમીન

(B) યામીન

(C) નુમીન

(D) એકપણ નહિ

જવાબ : (A) કુમીન


(69) મનોરંજન સાથે…………………એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે.

(A) અભિનય

(B) સંસ્કાર

(C) સૌંદર્ય

(D) એકપણ નહિ

જવાબ : (B) સંસ્કાર


(70) ભરતમુનિએ રચેલું………………….કલાક્ષેત્ર પ્રચલિત છે.

(A) નાટ્યશાસ્ત્ર

(B) અભિનવ દર્પણ

(C) નૃત્યશાસ્ત્ર

(D) એકપણ નહિ

જવાબ : (A) નાટ્યશાસ્ત્ર


(71) ભરતમુનિરચિત પ્રથમ નાટકનું કથાનક................હતું.

(A) દૂતવાક્યમ્

(B) કર્ણભાર

(C) દેવાસુર સંગ્રામ

(D) એકપણ નહિ

જવાબ : (C) દેવાસુર સંગ્રામ


(72) ગુજરાતની નાટ્યકલામાં……………….નું નામ મોખરે ગણાય છે.

(A) જયશંકર સુંદરી

(B) પ્રાણસુખ નાયક

(C) બાપુલાલ નાયક

(D) એકપણ નહિ

જવાબ : (A) જયશંકર સુંદરી


(73) શાસ્ત્રકારોએ ભવાઈને………………નાટકો કહ્યાં છે.

(A) પ્રેમપ્રધાન

(B) ભાવપ્રધાન

(C) લયપ્રધાન

(D) એકપણ નહિ

જવાબ : (B) ભાવપ્રધાન


(74) ભવાઈ એ……………..દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની નાટ્યકલા છે.

(A) અસાઈત ઠાકર

(B) ગુણવંત ઠાકર

(C) ધીરુભાઈ ઠાકર

(D) એકપણ નહિ

જવાબ : (A) અસાઈત ઠાકર


(75) ગુજરાતની નાટ્યકલાને...................યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું.

(A) વાઘેલા

(B) સોલંકી

(C) ચૌહાણ

(D) એકપણ નહિ

જવાબ : (B) સોલંકી


(76) ભવાઈ ભજવનાર ભવાયાઓ................વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે.

(A) ઢોલ

(B) વાંસળી

(C) ભૂંગળ

(D) એકપણ નહિ

જવાબ : (C) ભૂંગળ


(77) ગુજરાતની પ્રજા................પ્રિય છે.

(A) સંગીત

(B) ઉત્સવ

(C) ગરબા

(D) એકપણ નહિ

જવાબ : (B) ઉત્સવ


(78) ગુજરાતના…………..‘ચાળો’ નૃત્ય કરે છે.

(A) આદિવાસીઓ

(B) નાટ્યકારો

(C) પઢાર લોકો

(D) એકપણ નહિ

જવાબ : (A) આદિવાસીઓ


(79) ગરબો શબ્દ………………પરથી બન્યો છે.

(A) ગર્વ-દીપ

(B) ઘટ-દીપ

(C) ગર્ભ-દીપ

(D) એકપણ નહિ

જવાબ : (C) ગર્ભ-દીપ


(80) સમગ્ર ગુજરાત રાજ્યમાં...............દરમિયાન ગરબા ગવાય છે.

(A) હોળી-ધૂળેટી

(B) નવરાત્રિ

(C) શિવરાત્રી

(D) એકપણ નહિ

જવાબ : (B) નવરાત્રિ


(81) ગુજરાતી કવિ....................ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે.

(A) નરસિંહ મહેતાએ

(B) દયારામે

(C) પ્રેમાનંદે

(D) એકપણ નહિ

જવાબ : (B) દયારામે


(82) ………….એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે.

(A) રાસ

(B) ગરબા

(C) પઢાર નૃત્ય

(D) એકપણ નહિ

જવાબ : (A) રાસ


(83) શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત……………..ને રાસલીલા બતાવી હતી.

(A) અખા

(B) પ્રેમાનંદ

(C) નરસિંહ મહેતા

(D) એકપણ નહિ

જવાબ : (C) નરસિંહ મહેતા


(84) ……………..રાસ એ રાસનો પ્રકાર છે.

(A) મેરાયો

(B) દાંડિયા

(C) મશીરા

(D) એકપણ નહિ

જવાબ : (B) દાંડિયા


(85) ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોએ…………રચાય છે.

(A) રાસ

(B) ગરબા

(C) રમતો

(D) એકપણ નહિ

જવાબ : (A) રાસ


(86) ………………સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે.

(A) શૈવ

(B) વૈષ્ણવ

(C) સ્વામિનારાયણ

(D) એકપણ નહિ

જવાબ : (B) વૈષ્ણવ


(87) ……………..નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીદી લોકોનું છે.

(A) ગોફ ગૂંથન

(B) મેરાયો

(C) ધમાલ

(D) એકપણ નહિ

જવાબ : (C) ધમાલ


(88) ............... લોકો પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતાં કરતાં સમૂહમાં ધમાલ નૃત્ય કરે છે.

(A) સીદી

(B) પઢાર

(C) કોળી

(D) એકપણ નહિ

જવાબ : (A) સીદી


(89) બનાસકાંઠાના વાવ વિસ્તારમાં..................નામનું નૃત્ય જાણીતું છે.

(A) પઢાર

(B) મેરાયો

(C) ધમાલ

(D) એકપણ નહિ

જવાબ : (B) મેરાયો


(90) ……………..વિસ્તારમાં પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે.

(A) સુરેન્દ્રનગર

(B) ભાવનગર

(C) જામનગર

(D) એકપણ નહિ

જવાબ : (A) સુરેન્દ્રનગર


(91) સૌરાષ્ટ્રના………………લોકો કોળી નૃત્ય કરે છે.

(A) કોળી

(B) પઢાર

(C) સીદી

(D) એકપણ નહિ

જવાબ : (A) કોળી


(92) ગુજરાતમાં……………ના મેર અને ભરવાડ જાતિનાં નૃત્યો પણ જાણીતાં છે.

(A) કચ્છ

(B) દક્ષિણ ગુજરાત

(C) સૌરાષ્ટ્ર

(D) એકપણ નહિ

જવાબ : (C) સૌરાષ્ટ્ર


(93) ……………..નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે.

(A) કૂચીપુડી

(B) કથકલી

(C) મણિપુરી

(D) એકપણ નહિ

જવાબ : (A) કૂચીપુડી


(94) .................નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિતરામણ(મુખાકૃતિ)ને સમજવું પડે છે.

(A) ભરતનાટ્યમ્

(B) મણિપુરી

(C) કથકલી

(D) એકપણ નહિ

જવાબ : (C) કથકલી


(95) ભરતમુનિએ નોંધ્યું છે કે, ………………કલામાં બધી કલાઓનો સમન્વય થયેલો છે.

(A) ચિત્ર

(B) નાટ્ય

(C) નૃત્ય

(D) એકપણ નહિ

જવાબ : (B) નાટ્ય


(96) ………………ના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.

(A) ગરબા

(B) ભવાઈ

(C) નૃત્યકલા

(D) એકપણ નહિ

જવાબ : (B) ભવાઈ


(97) ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય……………..નૃત્ય તરીકે જાણીતું છે.

(A) પઢાર

(B) મેરાયો

(C) ધમાલ

(D) એકપણ નહિ

જવાબ : (B) મેરાયો


(98) ……………નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.

(A) પઢાર

(B) મેરાયો

(C) ગોફ ગૂંથન

(D) એકપણ નહિ

જવાબ : (A) પઢાર


(99) …………..નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં ઉપર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે.

(A) ધમાલ

(B) મેરાયો

(C) પઢાર

(D) એકપણ નહિ

જવાબ : (C) પઢાર


(100) ……………રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે.

(A) ગરબા

(B) રાસ

(C) રમતો

(D) એકપણ નહિ

જવાબ : (B) રાસ


(101) ‘વિશ્વ યોગ દિવસ’ કઈ તારીખે ઊજવવામાં આવે છે?

(A) 21 જૂને

(B) 1 મેએ

(C) 21 એપ્રિલે

(D) 5 સપ્ટેમ્બરે

જવાબ : (A) 21 જૂને


(102) આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું?

(A) લોકમાન્ય ટિળકે

(B) ગોપાલકૃષ્ણ ગોખલેએ

(C) જવાહરલાલ નેહરુએ

(D) ગાંધીજીએ

જવાબ : (D) ગાંધીજીએ


(103) કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો?

(A) ઢાકામાં

(B) આગરામાં

(C) કાનપુરમાં

(D) બેંગલૂરુમાં

જવાબ : (A) ઢાકામાં


(104) પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?

(A) બનારસી

(B) બાંધણી

(C) કાંજીવરમ

(D) પટોળું

જવાબ : (D) પટોળું


(105) ઇક્ત એટલે…………..

(A) છપાઈ

(B) વણાટ

(C) ગૂંથણ

(D) ભરત

જવાબ : (B) વણાટ


(106) કચ્છના બન્ની વિસ્તારના ‘જત’ લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે?

(A) માટીકામ

(B) વણાટકામ

(C) ભરતગૂંથણ કલા

(D) મીનાકામ

જવાબ : (C) ભરતગૂંથણ કલા


(107) નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવાં પ્રાણીઓ માટે પ્રચલિત નથી?

(A) પલાણ

(B) લગામ

(C) સાજ

(D) પટ્ટા

જવાબ : (D) પટ્ટા


(108) બધી ક્લાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે?

(A) નૃત્યકલા

(B) નાટ્યકલા

(C) સંગીતકલા

(D) ચિત્રકલા

જવાબ : (D) ચિત્રકલા


(109) ભારતનો કયો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?

(A) ઋગ્વેદ

(B) સામવેદ

(C) યજુર્વેદ

(D) અથર્વવેદ

જવાબ : (B) સામવેદ


(110) નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી?

(A) મેઘ

(B) દીપક

(C) શ્રી

(D) જ્યોત

જવાબ : (D) જ્યોત


(111) ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિંદ' (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું?

(A) તાનસેન

(B) તુલસીદાસ

(C) કબીર

(D) અમીર ખુશરો

જવાબ : (D) અમીર ખુશરો


(112) તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે?

(A) નાટ્યકલા

(B) નૃત્યકલા

(C) ચિત્રકલા

(D) સંગીતકલા

જવાબ : (B) નૃત્યકલા


(113) તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન ગણાય છે?

(A) કથકલી

(B) કૂચીપુડી

(C) ભરતનાટ્યમ્

(D) મણિપુરી

જવાબ : (C) ભરતનાટ્યમ્


(114) કૂચીપુડી નૃત્યનો પ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલો છે?

(A) ઓડિશા (ઓરિસ્સા)

(B) કેરલ

(C) આંધ્ર પ્રદેશ

(D) અસમ

જવાબ : (C) આંધ્ર પ્રદેશ


(115) કયા નૃત્યનાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે?

(A) કથક

(B) મણિપુરી

(C) કૂચીપુડી

(D) કથકલી

જવાબ : (D) કથકલી


(116) ‘કથન કરે સો કથક કહાવે' આ ઉક્તિ ક્યા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે?

(A) કથક

(B) ભરતનાટ્યમ્

(C) મણિપુરી

(D) કથકલી

જવાબ : (A) કથક


(117) કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે?

(A) સંગીતકલા

(B) નાટ્યકલા

(C) ચિત્રકલા

(D) નૃત્યકલા

જવાબ : (B) નાટ્યકલા


(118) નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?

(A) ભવભૂતિએ

(B) યાજ્ઞવલ્ક્ય મુનિએ

(C) મહાકવિ કાલિદાસે

(D) ભરતમુનિએ

જવાબ : (D) ભરતમુનિએ


(119) બધી ક્લાઓનો સંયોગ કઈ કલામાં છે?

(A) સંગીતકલામાં

(B) નૃત્યકલામાં

(C) નાટ્યકલામાં

(D) ચિત્રકલામાં

જવાબ : (C) નાટ્યકલામાં


(120) નૃત્યના આદિદેવ કોણ હતા?

(A) શિવ-નટરાજ

(B) નારદ

(C) વિષ્ણુ

(D) બ્રહ્મા

જવાબ : (A) શિવ-નટરાજ


(121) ટેરાકૉટા એટલે શું?

(A) મરેલાઓનો ટેકરો

(B) કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન

(C) પાણી લાવવા-લઈ જવા માટે વપરાતી પખાલ

(D) દીવાસળીની પેટીમાં સમાઈ શકતો કાપડનો તાકો

જવાબ : (B) કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન


(122) કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ શું છે?

(A) બાંધણી

(B) પટોળું

(C) કાંજીવરમ

(D) જરદોશી

જવાબ : (B) પટોળું


(123) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?

(A) રાજસ્થાન

(B) અંદમાન

(C) આફ્રિકા

(D) થાઇલૅન્ડ

જવાબ : (C) આફ્રિકા


(124) ‘ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય?

(A) આદિવાસીઓનું નૃત્ય

(B) ભરવાડોનું નૃત્ય

(C) કોળીઓનું નૃત્ય

(D) પઢારોનું નૃત્ય

જવાબ : (A) આદિવાસીઓનું નૃત્ય


(125) કયું નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે?

(A) ગોફ ગૂંથન

(B) ધમાલ

(C) મેરાયો

(D) પઢાર

જવાબ : (D) પઢાર


(126) નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?

(A) ઊરુભંગ

(B) કર્ણભાર

(C) મેઘદૂતમ્

(D) દૂતવાક્યમ્

જવાબ : (C) મેઘદૂતમ્


(127) વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?

(A) મણિપુરી

(B) કૂચીપુડી

(C) કથકલી

(D) ભરતનાટ્યમ્

જવાબ : (D) ભરતનાટ્યમ્


(128) ભારત સમૃદ્ધ…………….વારસો ધરાવતો દેશ છે.

(A) પૌરાણિક

(B) સાંસ્કૃતિક

(C) સામાજિક

(D) એકપણ નહિ

જવાબ : (B) સાંસ્કૃતિક


(129) પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે……………. કલાઓ પ્રવર્તતી હતી.

(A) 64

(B) 68

(C) 54

(D) એકપણ નહિ

જવાબ : (A) 64


(130) આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન………………વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે.

(A) રસાયણ

(B) વાસ્તુ

(C) યોગ

(D) એકપણ નહિ

જવાબ : (C) યોગ