ધોરણ : 10
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 1. ભારતનો વારસો
MCQ : 85
(1) ભારત પ્રાચીન…………..ધરાવતો દેશ છે.
(A) સભ્યતા
(B) સંસ્કૃતિ
(C) વારસો
(D) એકપણ નહીં
જવાબ : (B) સંસ્કૃતિ
(2) ભારતના પ્રાચીન ગ્રંથ …………………’માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.
(A) વિષ્ણુપુરાણ
(B) શિવપુરાણ
(C) ગરુડપુરા
(D) એકપણ નહીં
જવાબ : (A) વિષ્ણુપુરાણ
(૩) ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ……………………માં ભળી ગઈ.
(A) પ્રવાહ
(B) પરંપરા
(C) આદર્શો
(D) એકપણ નહીં
જવાબ : (A) પ્રવાહ
(4) ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં..............સ્થાન ધરાવે છે.
(A) ચોથું
(B) પાંચમું
(C) સાતમું
(D) એકપણ નહીં
જવાબ : (C) સાતમું
(5) ભારત જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં.............સ્થાન ધરાવે છે.
(A) બીજું
(B) ત્રીજું
(C) ચોથું
(D) એકપણ નહીં
જવાબ : (A) બીજું
(6) ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને…………વારસો આપ્યો છે.
(A) ભવ્ય
(B) વૈવિધ્યસભર
(C) આધ્યાત્મિક
(D) એકપણ નહીં
જવાબ : (B) વૈવિધ્યસભર
(7) ભારતીય સંસ્કૃતિ………અને વેપારી રહી છે.
(A) શાંતિપ્રિય
(B) વિકાસશીલ
(C) અહિંસક
(D) એકપણ નહીં
જવાબ : (A) શાંતિપ્રિય
(8) સંસ્કૃતિ એટલે.....…..
(A) પ્રગતિ
(B) સૌંદર્યપ્રધાન વિકાસ
(C) જીવન જીવવાની રીત
(D) એકપણ નહીં
જવાબ : (C) જીવન જીવવાની રીત
(9) ‘‘પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે…………….વારસો.’’
(A) સાંસ્કૃતિક
(B) પ્રાકૃતિક
(C) પર્યાવરણિક
(D) એકપણ નહીં
જવાબ : (B) પ્રાકૃતિક
(10) આપણે સૌ..............નાં સંતાન છીએ.
(A) પ્રકૃતિ
(B) ધરતી
(C) સંસ્કૃતિ
(D) એકપણ નહીં
જવાબ : (A) પ્રકૃતિ
(11) ભૂમિ-આકારો દ્વારા અનેક............નું સર્જન જોવા મળે છે.
(A) પર્વતો
(B) ઉચ્ચપ્રદેશો
(C) ભૂમિદશ્યો
(D) એકપણ નહીં
જવાબ : (C) ભૂમિદશ્યો
(12) હિમાલયમાં.................નાં જંગલો આવેલાં છે.
(A) વિષુવવૃત્તીય
(B) પર્વતીય
(C) તરાઈ
(D) એકપણ નહીં
જવાબ : (C) તરાઈ
(13) ભારતીય સંસ્કૃતિ સિંધુ અને.............નદીના કિનારે પાલનપોષણ પામી છે.
(A) રાવી
(B) બિયાસ
(C) જેલમ
(D) એકપણ નહીં
જવાબ : (A) રાવી
(14) આપણે નદીને............નું બહુમાન આપ્યું છે.
(A) જનદેવી
(B) લોકમાતા
(C) જગમાતા
(D) એકપણ નહીં
જવાબ : (B) લોકમાતા
(15) ભારતની પ્રજા આદિ સમયથી……………..રહી છે.
(A) પ્રકૃતિપ્રેમી
(B) શાંતિપ્રિય
(C) પર્યાવરણપ્રેમી
(D) એકપણ નહીં
જવાબ : (C) પર્યાવરણપ્રેમી
(16) ………………. વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે.
(A) વટસાવિત્રી
(B) ગૌરી
(C) જયા-પાર્વતીના
(D) એકપણ નહીં
જવાબ : (A) વટસાવિત્રી
(17) વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના…………………નાં જંગલોમાં જોવા મળે છે.
(A) સાતપુડા
(B) બરડા
(C) ગીર
(D) એકપણ નહીં
જવાબ : (C) ગીર
(18) ભારતમાં.............ની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યાં છે.
(A) જંગલી પ્રાણીઓ
(B) વન્ય જીવો
(C) આદિવાસીઓ
(D) એકપણ નહીં
જવાબ : (B) વન્ય જીવો
(19) સાંસ્કૃતિક વારસો એટલે............વારસો.
(A) માનવસર્જિત
(B) ભૌતિક
(C) જૈવિક
(D) એકપણ નહીં
જવાબ : (A) માનવસર્જિત
(20) ……………સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે.
(A) ઐતિહાસિક
(B) પ્રાચીન
(C) પ્રાગ્ ઐતિહાસિક
(D) એકપણ નહીં
જવાબ : (C) પ્રાગ્ ઐતિહાસિક
(21) …………………ની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.
(A) હાથવણાટ
(B) ભરત-ગૂંથણ
(C) શિલ્પ-સ્થાપત્ય
(D) એકપણ નહીં
જવાબ : (C) શિલ્પ-સ્થાપત્ય
(22) મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર................અને વૃષભનું શિલ્પ છે.
(A) વાઘ
(B) સિંહ
(C) હાથી
(D) એકપણ નહીં
જવાબ : (B) સિંહ
(23) ……………ની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે.
(A) ઇલોરા
(B) અજંતા
(C) ઍલિફન્ટા
(D) એકપણ નહીં
જવાબ : (A) ઇલોરા
(24) પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું લોથલ............તાલુકામાં આવેલું છે.
(A) ધંધુકા
(B) વિરમગામ
(C) ધોળકા
(D) એકપણ નહીં
જવાબ : (C) ધોળકા
(25) વડનગરનું..................ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.
(A) જૈનમંદિર
(B) કીર્તિતોરણ
(C) સૂર્યમંદિર
(D) એકપણ નહીં
જવાબ : (B) કીર્તિતોરણ
(26) મોઢેરાનું............ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.
(A) સૂર્યમંદિર
(B) જૈનમંદિર
(C) સહસ્રલિંગ તળાવ
(D) એકપણ નહીં
જવાબ : (A) સૂર્યમંદિર
(27) જૂનાગઢનો..............નો મકબરો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.
(A) અહમદશાહ
(B) મુહમ્મદશાહ
(C) મહોબતખાન
(D) એકપણ નહીં
જવાબ : (C) મહોબતખાન
(28) ………………નો મેળો ગિરનાર (જૂનાગઢ) માં મહા વદ 9 થી 12 દરમિયાન ભરાય છે.
(A) વૌઠા
(B) ભવનાથ
(C) તરણેતર
(D) એકપણ નહીં
જવાબ : (B) ભવનાથ
(29) ……………..નો મેળો ધોળકા (અમદાવાદ) માં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે.
(A) ભાંગુરિયા
(B) તરણેતર
(C) વૌઠા
(D) એકપણ નહીં
જવાબ : (C) વૌઠા
(30) …………….નો મેળો આહવા (ડાંગ) માં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે.
(A) ડાંગ દરબાર
(B) ભાંગુરિયા
(C) માધવપુર
(D) એકપણ નહીં
જવાબ : (A) ડાંગ દરબાર
(31) ……………….નો મેળો ઉનાવા (મહેસાણા) માં રજબ માસની તા. 16 થી 22 દરમિયાન ભરાય છે.
(A) મીરા દાતાર
(B) નકળંગ
(C) ભડિયાદ
(D) એકપણ નહીં
જવાબ : (A) મીરા દાતાર
(32) ……………………નો મેળો ગરબાડા (દાહોદ) માં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે.
(A) ભાંગુરિયા
(B) ડાંગ દરબાર
(C) ગોળ ગધેડા
(D) એકપણ નહીં
જવાબ : (C) ગોળ ગધેડા
(33) …………નો મેળો ક્વાંટ (છોટાઉદેપુર) માં હોળીથી રંગપાંચમ સુધી ભરાય છે.
(A) ગોળ ગધેડા
(B) ભાંગુરિયા
(C) ડાંગ દરબાર
(D) એકપણ નહીં
જવાબ : (B) ભાંગુરિયા
(34) ……………જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે.
(A) નેગ્રીટો
(B) ઑસ્ટ્રેલૉઇડ
(C) મોંગોલૉઇડ
(D) એકપણ નહીં
જવાબ : (A) નેગ્રીટો
(35) નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી……………નાં રસ્તે થઈ ભારતમાં આવેલા.
(A) ઈરાન
(B) ઇરાક
(C) બલૂચિસ્તાન
(D) એકપણ નહીં
જવાબ : (C) બલૂચિસ્તાન
(36) ……………જાતિના લોકો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.
(A) અલ્પાઇન
(B) ઑસ્ટ્રેલૉઇડ
(C) નેગ્રીટો
(D) એકપણ નહીં
જવાબ : (C) નેગ્રીટો
(37) ……………….પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી હતી.
(A) ઑસ્ટ્રેલૉઇડ
(B) મોંગોલૉઇડ
(C) આર્મેનૉઇડ
(D) એકપણ નહીં
જવાબ : (A) ઑસ્ટ્રેલૉઇડ
(38) ભારતમાં આવેલા આર્યો ઑસ્ટ્રેલૉઇડ લોકોને………….કહેતા.
(A) નિષાદ
(B) કિરાત
(C) નોર્ડિક
(D) એકપણ નહીં
જવાબ : (A) નિષાદ
(39) ભારતમાં……………પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.
(A) સીદી
(B) ભીલી
(C) આદિવાસી
(D) એકપણ નહીં
જવાબ : (B) ભીલી
(40) ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં…………….પ્રજાનો ફાળો વિશિષ્ટ છે.
(A) ઑસ્ટ્રેલૉઇડ
(B) મોંગોલૉઇડ
(C) ડિનારિક
(D) એકપણ નહીં
જવાબ : (A) ઑસ્ટ્રેલૉઇડ
(41) દ્રવિડ લોકો...............ની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા.
(A) મોહેં-જો-દડો
(B) પાષાણ યુગ
(C) દક્ષિણ ભારત
(D) એકપણ નહીં
જવાબ : (A) મોહેં-જો-દડો
(42) દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા………લોકોએ આપી હોવાનું મનાય છે.
(A) આર્ય
(B) દ્રવિડ
(C) અલ્પાઇન
(D) એકપણ નહીં
જવાબ : (B) દ્રવિડ
(43) દ્રવિડોના મૂળ દેવો............એ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા.
(A) આર્યો
(B) હબસીઓ
(C) ડિનારિક
(D) એકપણ નહીં
જવાબ : (A) આર્યો
(44) ………………માં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી.
(A) આર્યો
(B) હબસીઓ
(C) દ્રવિડો
(D) એકપણ નહીં
જવાબ : (C) દ્રવિડો
(45) પ્રારંભિક..............સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે.
(A) બૌદ્ધ
(B) તમિલ
(C) જૈન
(D) એકપણ નહીં
જવાબ : (B) તમિલ
(46) ……………પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી હતી.
(A) મોંગોલૉઇડ
(B) અલ્પાઇન
(C) ડિનારિક
(D) એકપણ નહીં
જવાબ : (A) મોંગોલૉઇડ
(47) મોંગોલૉઇડ લોકો..............તરીકે ઓળખાતા.
(A) નોર્ડિક
(B) કિરાત
(C) નિષાદ
(D) એકપણ નહીં
જવાબ : (B) કિરાત
(48) ભારતની..............સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા.
(A) આર્ય
(B) હિંદુ
(C) સિંધુ
(D) એકપણ નહીં
જવાબ : (A) આર્ય
(49) આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને...................નામ અપાયું હતું.
(A) સપ્તસિંધુ
(B) હિંદુસ્તાન
(C) આર્યાવર્ત
(D) એકપણ નહીં
જવાબ : (C) આર્યાવર્ત
(50) વાયવ્ય ભારતમાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી આર્યોએ તેને.............નામ આપ્યું.
(A) સપ્તહિંદુ
(B) સપ્તસિંધુ
(C) સપ્તભારત
(D) એકપણ નહીં
જવાબ : (B) સપ્તસિંધુ
(51) …………..અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત હતા.
(A) દ્રવિડો
(B) મોંગોલૉઇડ પ્રજા
(C) આર્યો
(D) એકપણ નહીં
જવાબ : (C) આર્યો
(52) ભારતમાં આવેલી વિવિધ પ્રજાની સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્ત્વો અપનાવી લઈને એક ……………….સંસ્કૃતિનું સર્જન થયું.
(A) ભારતીય
(B) સમન્વયી
(C) સંપૂર્ણ
(D) એકપણ નહીં
જવાબ : (B) સમન્વયી
(53) ભારતમાં આવેલી પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત્ તેમનું…………..થયું.
(A) ભારતીયકરણ
(B) સમન્વય
(C) સામાજિકીકરણ
(D) એકપણ નહીં
જવાબ : (A) ભારતીયકરણ
(54) ……………..એ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે.
(A) નદીઓ
(B) પ્રકૃતિ
(C) સમુદ્રો
(D) એકપણ નહીં
જવાબ : (B) પ્રકૃતિ
(55) ……………વારસો કુદરતની ભેટ છે.
(A) સાંસ્કૃતિક
(B) પ્રાકૃતિક
(C) ઐતિહાસિક
(D) એકપણ નહીં
જવાબ : (B) પ્રાકૃતિક
(56) આદિમાનવ………………..માં ઉત્પન્ન થયા હતા.
(A) ઉત્તર-પૂર્વ આફ્રિકા
(B) પૂર્વ-દક્ષિણ આફ્રિકા
(C) પશ્ચિમ-દક્ષિણ આફ્રિકા
(D) એકપણ નહીં
જવાબ : (B) પૂર્વ-દક્ષિણ આફ્રિકા
(57) ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના………………પ્રજા તરીકે થતી હતી.
(A) પ્રાચીન
(B) પ્રાચીનતર
(C) પ્રાચીનતમ
(D) એકપણ નહીં
જવાબ : (C) પ્રાચીનતમ
(58) પ્રાચીન કાળમાં હિંદુઓ...............કહેવાતા.
(A) આર્ય
(B) કિરાત
(C) દ્રવિડ
(D) એકપણ નહીં
જવાબ : (A) આર્ય
(59) પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી.................ભારતમાં હતી.
(A) અગ્નિ
(B) વાયવ્ય
(C) ઈશાન
(D) એકપણ નહીં
જવાબ : (B) વાયવ્ય
(60) આર્યો...............હતા.
(A) શાંતિપ્રિય
(B) વાસ્તવદર્શી
(C) પ્રકૃતિપ્રેમી
(D) એકપણ નહીં
જવાબ : (C) પ્રકૃતિપ્રેમી
(61) ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી?
(A) સિંધુ અને જેલમ
(B) સિંધુ અને રાવી
(C) સિંધુ અને બિયાસ
(D) સતલુજ અને રાવી
જવાબ : (B) સિંધુ અને રાવી
(62) ‘લોકમાતા’ શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?
(A) ભારત
(B) પ્રકૃતિ
(C) નદીઓ
(D) પનિહારીઓ
જવાબ : (C) નદીઓ
(63) ભારતની પ્રજા અતિપ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે, તેની સાક્ષી છે પ્રજાનો………..
(A) કુટુંબપ્રેમ
(B) દેશપ્રેમ
(C) ઉત્સવપ્રેમ
(D) વૃક્ષપ્રેમ
જવાબ : (D) વૃક્ષપ્રેમ
(64) ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?
(A) કચ્છ
(B) બનાસકાંઠા
(C) જૂનાગઢ
(D) સાબરકાંઠા
જવાબ : (A) કચ્છ
(65) ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે?
(A) નેગ્રીટો
(B) આર્મેનૉઇડ
(C) ઑસ્ટ્રેલૉઇડ
(D) મોંગોલૉઇડ
જવાબ : (C) ઑસ્ટ્રેલૉઇડ
(66) પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે…………
(A) ઑસ્ટ્રેલૉઇડ પ્રજા હતી.
(B) અલ્પાઇન પ્રજા હતી.
(C) મોંગોલૉઇડ પ્રજા હતી.
(D) આર્મેનૉઇડ પ્રજા હતી.
જવાબ : (C) મોંગોલૉઇડ પ્રજા હતી.
(67) રંગે શ્યામ, લાંબું-પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવેલી તે ……………
(A) દ્રવિડ પ્રજા હતી.
(B) આર્મેનૉઇડ પ્રજા હતી.
(C) મોંગોલૉઇડ પ્રજા હતી.
(D) ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી.
જવાબ : (D) ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી.
(68) રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે……………
(A) મોંગોલૉઇડ (કિરાત) પ્રજા હતી.
(B) ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી.
(C) આર્મેનૉઇડ પ્રજા હતી.
(D) નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજા હતી.
જવાબ : (D) નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) પ્રજા હતી.
(69) ભારતમાં આવેલી કઈ ત્રણ જાતિઓ એકસમાન ભૌતિક ગુણો ધરાવે છે?
(A) અલ્પાઇન, ડિનારિક, મોંગોલૉઇડ
(B) ડિનારિક, આર્મેનૉઇડ, ઑસ્ટ્રેલૉઇડ
(C) મોંગોલૉઇડ, અલ્પાઇન, આર્મેનૉઇડ
(D) અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઇડ
જવાબ : (D) અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઇડ
(70) નીચે આપેલ ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે?
(A) લોથલની
(B) સિંધુખીણની
(C) રૂપડની
(D) ધોળાવીરાની
જવાબ : (B) સિંધુખીણની
(71) કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?
(A) નેગ્રીટો
(B) દ્રવિડ
(C) ઑસ્ટ્રેલૉઇડ
(D) આર્મેનૉઇડ
જવાબ : (A) નેગ્રીટો
(72) આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?
(A) કલમ – 51 (ક)માં
(B) કલમ – 48 (છ)માં
(C) કલમ – 57 (જ)માં
(D) કલમ – 51 (છ)માં
જવાબ : (A) કલમ – 51 (ક)મા
(73) અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી?
(A) દ્રવિડો
(B) મોંગોલૉઇડ
(C) આર્યો (નોર્ડિક)
(D) ઑસ્ટ્રેલૉઇડ
જવાબ : (C) આર્યો (નોર્ડિક)
(74) નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી, તે શોધીને ઉત્તર લખો.
(A) ગૌરવર્ણ, બદામી આંખો – દ્રવિડો
(B) શ્યામ વર્ણ, વાંકડિયા વાળ – નેગ્રીટો (હબસી)
(C) શ્યામ રંગ, ચપટું નાક – ઑસ્ટ્રેલૉઇડ
(D) પીળો વર્ણ, ચપટો ચહેરો – મોંગોલૉઇડ
જવાબ : (A) ગૌરવર્ણ, બદામી આંખો – દ્રવિડો
(75) નીચેનાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:
(1) આફ્રિકા | (a) કિરાત |
(2) અગ્નિ એશિયા | (b) ડિનારિક |
(3) મધ્ય એશિયા | (c) નિષાદ |
(4) ઉત્તર-પશ્ચિમ ચીન | (d) નીગ્રો (નેગ્રીટો – હબસી) |
| (e) કોલ |
(A) (1 - e), (2 – d), (3–b), (4-a)
(B) (1 – c), (2 –a), (3 – d), (4-e)
(C) (1 – d), (2 – c), (3-b), (4 - a)
(D) (1 – e), (2–b), (3-a), (4 – c)
જવાબ : (C) (1 – d), (2 – c), (3-b), (4 - a)
(76) દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?
(A) હિન્દી
(B) તમિલ
(C) કન્નડ
(D) મલયાલમ
જવાબ : (A) હિન્દી
(77) નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
(A) શારદાપીઠ – સોમનાથ
(B) પોળો ઉત્સવ – વડનગર
(C) ઉત્તરાર્ધનૃત્ય મહોત્સવ – મોઢેરા
(D) સીદી સૈયદની જાળી – ભાવનગર
જવાબ : (C) ઉત્તરાર્ધનૃત્ય મહોત્સવ – મોઢેરા
(78) ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા એક શબ્દનો ઉપયોગ થતો નથી?
(A) ભારતવર્ષ
(B) જંબુદ્વીપ
(C) આર્યાવર્ત
(D) હિંદુસ્તાન
જવાબ : (D) હિંદુસ્તાન
(79) હિમાલયની ગિરિમાળા ભારતની કઈ દિશામાં આવેલી છે?
(A) ઉત્તર
(B) દક્ષિણ
(C) પૂર્વ
(D) પશ્ચિમ
જવાબ : (A) ઉત્તર
(80) પ્રકૃતિ સાથેનાં આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનાં ઉદાહરણો ક્યાં જોવાં મળે છે?
(A) હિતોપદેશની વાર્તાઓમાં
(B) જૈન ધર્મની જાતક કથાઓમાં
(C) બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં
(D) બૃહદારણ્ય ઉપનિષદમાં
જવાબ : (C) બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં
(81) નીચેના પૈકી કઈ ચિકિત્સા-પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત નથી?
(A) નિસર્ગોપચાર
(B) ઍલોપથી
(C) આયુર્વેદિક
(D) યુનાની
જવાબ : (B) ઍલોપથી
(82) નીચેના પૈકી યાત્રાનું કયું સ્થળ હિમાલયમાં આવેલું નથી?
(A) કેદારનાથ
(B) અમરનાથ
(C) શિવનાથ
(D) બદ્રીનાથ
જવાબ : (C) શિવનાથ
(83) આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેના પૈકી કઈ આકૃતિ નથી?
(A) ચાર સિંહોની
(B) બળદની
(C) ઘોડાની
(D) વાઘની
જવાબ : (D) વાઘની
(84) નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નથી?
(A) પાટણનું સહસ્રલિંગ તળાવ
(B) ચાંપાનેરનો રાજમહેલ
(C) વિરમગામનું મુનસર તળાવ
(D) મોઢેરાનું સૂર્યમંદિર
જવાબ : (B) ચાંપાનેરનો રાજમહેલ
(85) ભારત પ્રાચીન…………..ધરાવતો દેશ છે.
(A) સભ્યતા
(B) સંસ્કૃતિ
(C) વારસો
(D) એકપણ નહીં
જવાબ : (B) સંસ્કૃતિ