ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 19 MCQ

GIRISH BHARADA

Std 8 Social Science Ch 19 Mcq Gujarati


ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

MCQ : 25


(1) ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે?

(A) ‘કલ્યાણ રાજ્ય’

(B) ‘મહારાજ્ય'

(C) ‘રામરાજ્ય'

(D) ‘લોકરાજ્ય’

જવાબ : (A) ‘કલ્યાણ રાજ્ય’


(2) આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો હતો?

(A) સંકલ્પોથી

(B) સીમાવિવાદ

(C) કુરૂઢિઓથી

(D) સમૃદ્ધિથી

જવાબ : (C) કુરૂઢિઓથી


(3) નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને?

(A) શિક્ષણ

(B) રોજગારી

(C) પરિશ્રમ

(D) સુવિધા

જવાબ : (B) રોજગારી


(4) ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા કઈ પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે?

(A) ટેકનિકલ પ્રવૃત્તિનો

(B) સંસ્થાકીય પ્રવૃત્તિનો

(C) સંશોધન પ્રવૃત્તિનો

(D) સહકારી પ્રવૃત્તિનો

જવાબ : (D) સહકારી પ્રવૃત્તિનો


(5) પશુપાલન અને દૂધ-ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે?

(A) ‘કૃષિ ક્રાંતિ

(B) ‘હરિયાળી ક્રાંતિ'

(C) ‘શ્વેત ક્રાંતિ’

(D) ‘આર્થિક ક્રાંતિ'

જવાબ : (C) ‘શ્વેત ક્રાંતિ’


(6) દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર આધારસ્તંભ બને છે?

(A) કૃષિક્ષેત્ર

(B) ઔદ્યોગિક ક્ષેત્ર

(C) શૈક્ષણિક ક્ષેત્ર

(D) આરોગ્ય ક્ષેત્ર

જવાબ : (B) ઔદ્યોગિક ક્ષેત્ર


(7) આઝાદી પછી દેશની લોકશાહીને સફળ બનાવવા કોના પ્રસારની જરૂરિયાત હતી?

(A) લોકમતની

(B) જાગૃતિની

(C) જનસહકારની

(D) શિક્ષણની

જવાબ : (D) શિક્ષણની


(8) આપણા દેશે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?

(A) લોકશાહી

(B) સરમુખત્યારશાહી

(C) સામ્યવાદી

(D) સમાજવાદી

જવાબ : (A) લોકશાહી


(9) આઝાદી પછી દરેક ગામમાં કયું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે?

(A) ગ્રામપંચાયતું

(B) દુકાનોનું

(C) શાળાનું

(D) મંદિરોનું

જવાબ : (C) શાળાનું


(10) ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી શામાં આપવામાં આવી છે?

(A) પરિશિષ્ટમાં

(B) અનુચ્છેદમાં

(C) આમુખમાં

(D) કલમ -17માં

જવાબ : (A) પરિશિષ્ટમાં


(11) સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે ક્યાં કાર્યો કરે છે?

(A) મનોરંજનનાં

(B) લોકકલ્યાણનાં

(C) પ્રવાસ-પર્યટનનાં

(D) આવાસ યોજનાનાં

જવાબ : (B) લોકકલ્યાણનાં


(12) સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના…………સ્વતંત્રતા અર્થહીન બને છે.

(A) રાજકીય

(B) આર્થિક

(C) સામાજિક

(D) એકપણ નહીં

જવાબ : (A) રાજકીય


(13) એક સમયે ‘અન્ન, વસ્ત્ર અને…………..દરેક માનવી માટે સુલભ બનાવવાના પ્રયત્નો થયા.

(A) રૂપિયા

(B) ઓટલો (રહેઠાણ)

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (B) ઓટલો (રહેઠાણ)


(14) મૂળભૂત………..પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ.

(A) હકો

(B) ફરજો

(C) જરૂરીયાતો

(D) એકપણ નહીં

જવાબ : (C) જરૂરીયાતો


(15) નાણાકીય વ્યવસ્થા…………..વિના શક્ય બનતી નથી.

(A) રોજગારી

(B) સરકાર

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (A) રોજગારી


(16) આઝાદી પછી સરકારના ભરપૂર પ્રયત્નોના લીધે ભારત………..ના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું.

(A) પાણી

(B) અન્ન

(C) ખનીજ

(D) એકપણ નહીં

જવાબ : (B) અન્ન


(17) સહકારી ક્ષેત્રના દૂધ-ઉત્પાદન માટેના સઘન પ્રયત્નોથી…………..માં સફળતા મળી છે.

(A) હરિયાળી ક્રાંતિ

(B) લાલ ક્રાંતિ

(C) શ્વેત ક્રાંતિ

(D) એકપણ નહીં

જવાબ : (C) શ્વેત ક્રાંતિ


(18) ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસથી લોકોને…………ની તકો મળે છે.

(A) રોજગારી

(B) બેરોજગારી

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (A) રોજગારી


(19) સમાજના આર્થિક વિકાસને લીધે લોકોનું………….ઊંચું આવે છે.

(A) સમાજજીવન

(B) જીવનધોરણ

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (B) જીવનધોરણ


(20) ભારતનાં……………જનજીવનની તાસીર સમાં છે.

(A) શહેરો

(B) નગરો

(C) ગામડાં

(D) એકપણ નહીં

જવાબ : (C) ગામડાં


(21) આઝાદી પછી દરેક ગામમાં……………નું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે.

(A) શાળા

(B) પોસ્ટ-ઑફિસ

(C) હોસ્પિટલ

(D) એકપણ નહીં

જવાબ : (A) શાળા


(22) આરોગ્યની સારવારના અભાવે બાળકો અને …………ના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે.

(A) સ્ત્રીઓ

(B) પ્રસૂતાઓ

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (B) પ્રસૂતાઓ


(23) આઝાદી પૂર્વે સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોને મૂળભૂત………પણ આપવામાં આવતા ન હતા.

(A) માનવ હકો

(B) ફરજો

(C) માનવ અધિકારો

(D) એકપણ નહીં

જવાબ : (C) માનવ અધિકારો


(24) આઝાદી પછી શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસને કારણે લોકોની……………બદલાઈ છે.

(A) માનસિકતા

(B) જીવનધોરણ

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (A) માનસિકતા


(25) .............ની ભૂમિકા માનવજીવનનાં અનેક ક્ષેત્રોને સ્પર્શે છે.

(A) સરપંચ

(B) સરકાર

(C) ઉપરના બંને

(D) એકપણ નહીં

જવાબ : (B) સરકાર