ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 15 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 15 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 15. ભારતીય બંધારણ

MCQ : 30


(1) બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

(A) 370

(B) 382

(C) 389

(D) 395

જવાબ : (C) 389


(2) બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?

(A) 23

(B) 13

(C) 18

(D) 25

જવાબ : (A) 23


(3) બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોણ હતા?

(A) સરદાર વલ્લભભાઈ પટેલ

(B) શ્રી કનૈયાલાલ મુનશી

(C) ડૉ. ભીમરાવ આંબેડકર

(D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ

જવાબ : (D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ


(4) બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?

(A) ડૉ. ભીમરાવ આંબેડકર

(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(C) ડૉ. રાધાકૃષ્ણન

(D) પંડિત જવાહરલાલ નેહરુ

જવાબ : (A) ડૉ. ભીમરાવ આંબેડકર


(5) બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?

(A) 1 ડિસેમ્બર, 1946ના રોજ

(B) 9 ડિસેમ્બર, 1947ના રોજ

(C) 9 ડિસેમ્બર, 1946ના રોજ

(D) 26 જાન્યુઆરી, 1946ના રોજ

જવાબ : (C) 9 ડિસેમ્બર, 1946ના રોજ


(6) બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?

(A) 166

(B) 124

(C) 140

(D) 162

જવાબ : (A) 166


(7) ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?

(A) 10 ઑગસ્ટ, 1947ના રોજ

(B) 15 ઑગસ્ટ, 1947ના રોજ

(C) 15 ઑગસ્ટ, 1948ના રોજ

(D) 26 જાન્યુઆરી, 1950ના રોજ

જવાબ : (B) 15 ઑગસ્ટ, 1947ના રોજ


(8) બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

(A) 26 જાન્યુઆરી, 1948ના રોજ

(B) 9 ડિસેમ્બર, 1948ના રોજ

(C) 15 ઑગસ્ટ, 1949ના રોજ

(D) 26 નવેમ્બર, 1949ના રોજ

જવાબ : (D) 26 નવેમ્બર, 1949ના રોજ


(9) બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું?

(A) 15 ઑગસ્ટ, 1947ના રોજ

(B) 26 નવેમ્બર, 1949ના રોજ

(C) 26 જાન્યુઆરી, 1950ના રોજ

(D) 9 નવેમ્બર, 1949ના રોજ

જવાબ : (C) 26 જાન્યુઆરી, 1950ના રોજ


(10) દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

(A) 26 નવેમ્બરે

(B) 26 જાન્યુઆરીએ

(C) 26 ડિસેમ્બરે

(D) 15 ઑગસ્ટે

જવાબ : (A) 26 નવેમ્બરે


(11) 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?

(A) ડૉ. ભીમરાવ આંબેડકરને

(B) સરદાર વલ્લભભાઈ પટેલને

(C) પંડિત જવાહરલાલ નેહરુને

(D) મહાત્મા ગાંધીને

જવાબ : (A) ડૉ. ભીમરાવ આંબેડકરને


(12) ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?

(A) મૂળભૂત હકોથી

(B) મૂળભૂત ફરજોથી

(C) સ્વરાજના દસ્તાવેજથી

(D) આમુખથી

જવાબ : (D) આમુખથી


(13) આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?

(A) છ

(B) ચાર

(C) પાંચ

(D) સાત

જવાબ : (C) પાંચ


(14) ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

(A) 15

(B) 18

(C) 17

(D) 16

જવાબ : (B) 18


(15) લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?

(A) સાંપ્રદાયિકતા

(B) સમાજવાદ

(C) રાષ્ટ્રીય એકતા

(D) સ્વતંત્રતા

જવાબ : (D) સ્વતંત્રતા


(16) ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?

(A) સાંસ્કૃતિક

(B) બિનસાંપ્રદાયિક

(C) સાંપ્રદાયિક

(D) બિનસાંસ્કૃતિક

જવાબ : (B) બિનસાંપ્રદાયિક


(17) આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરેલી છે?

(A) સંઘીય

(B) સમાજવાદી

(C) બિનસાંપ્રદાયિક

(D) બંધારણીય

જવાબ : (A) સંઘીય


(18) સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે?

(A) રાજ્ય

(B) ઘટક

(C) એકમ

(D) કેન્દ્ર

જવાબ : (D) કેન્દ્ર


(19) કેટલી ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?

(A) 18 વર્ષથી નીચેનાં

(B) 14 વર્ષથી નીચેનાં

(C) 6થી 14 વર્ષનાં

(D) 21 વર્ષથી ઉપરનાં

જવાબ : (B) 14 વર્ષથી નીચેનાં


(20) કોણે બંધારણીય ઇલાજોના હકને ‘બંધારણના આત્મા સમાન' કહ્યો છે?

(A) પંડિત જવાહરલાલ નેહરુએ

(B) સરદાર વલ્લભભાઈ પટેલે

(C) ડૉ. ભીમરાવ આંબેડકરે

(D) ડૉ. રાજેન્દ્રપ્રસાદે

જવાબ : (C) ડૉ. ભીમરાવ આંબેડકરે


(21) બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી?

(A) બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી.

(B) 26 જાન્યુઆરી, 1949માં બંધારણ તૈયાર થયું હતું.

(C) બંધારણસભાની 2 વર્ષ, 11 માસ, 18 દિવસમાં કામગીરી પૂર્ણ કરી હતી.

(D) બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા.

જવાબ : (B) 26 જાન્યુઆરી, 1949માં બંધારણ તૈયાર થયું હતું.


(22) કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાન : સમાનતાનો હક : નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ : ...........

(A) ધાર્મિક સ્વતંત્રતાનો હક

(B) બંધારણીય ઇલાજોનો હક

(C) સ્વતંત્રતાનો હક

(D) શોષણ સામે વિરોધનો હક

જવાબ : (C) સ્વતંત્રતાનો હક


(23) ............ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે.

(A) બંધારણ

(B) ખરડા

(C) કાયદો

(D) એકપણ નહીં

જવાબ : (A) બંધારણ


(24) આપણાં દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું............બંધારણ છે.

(A) મૌખિક

(B) લેખિત

(C) A અને B બંને

(D) એકપણ નહીં

જવાબ : (B) લેખિત


(25) ભારત દેશ ........... ના રોજ સ્વતંત્ર થયો.

(A) 15 ઓગસ્ટ, 1948

(B) 15 ઓગસ્ટ, 1946

(C) 15 ઓગસ્ટ, 1947

(D) 15 ઓગસ્ટ, 1950

જવાબ : (C) 15 ઓગસ્ટ, 1947


(26) ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ............. ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું.

(A) 1947

(B) 1948

(C) 1949

(D) 1950

જવાબ : (D) 1950


(27) આપણાં દેશમાં દર વર્ષે............બંધારણદિનની ઉજવણી કરવામાં આવે છે.

(A) 26 નવેમ્બરે

(B) 25 નવેમ્બરે

(C) 26 ડિસેમ્બરે

(D) 22 ડિસેમ્બરે

જવાબ : (A) 26 નવેમ્બરે


(28) …………… એ લોકશાહીનું મહત્વનું પાસું છે.

(A) સમાનતા

(B) સ્વતંત્રતા

(C) બિનસાંપ્રદાયિકતા

(D) બંધારણ

જવાબ : (B) સ્વતંત્રતા


(29) ભારત એક.............લોકશાહી દેશ છે.

(A) પ્રજાસતાક

(B) બિનસાંપ્રદાયિક

(C) ધર્મનિરપેક્ષ

(D) એકપણ નહીં

જવાબ : (A) પ્રજાસતાક


(30) ડો. ભીમરાવ આંબેડકરે...........ના હકને ‘બંધારણના આત્મા સામાન’ કહ્યો છે.

(A) સમાનતા

(B) સ્વતંત્રતા

(C) શોષણ સામે વિરોધ

(D) બંધારણીય ઈલાજો

જવાબ : (D) બંધારણીય ઈલાજો