ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 8 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 8 સ્વાધ્યાય

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 8. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

સ્વાધ્યાય


પ્રશ્ન 1. યોગ્ય જોડકાં જોડો.


(અ) મેળાઓ

(1) તરણેતરનો મેળો

(2) ચિત્ર-વિચિત્રનો મેળો

(3) મીરાદાતારનો ઉર્સ મુબારક

(4) પલ્લીનો મેળો

(5) ભવનાથનો મેળો

(6) વૌઠાનો મેળો


(બ) જિલ્લાઓ

(A) સાબરકાંઠા

(B) અમદાવાદ

(C) જૂનાગઢ

(D) મહેસાણા

(E) ગાંધીનગર

(F) સુરેન્દ્રનગર


ઉત્તર :

(1) તરણેતરનો મેળો - (F) સુરેન્દ્રનગર

(2) ચિત્ર-વિચિત્રનો મેળો - (A) સાબરકાંઠા

(3) મીરાદાતારનો ઉર્સ મુબારક - (D) મહેસાણા

(4) પલ્લીનો મેળો - (E) ગાંધીનગર

(5) ભવનાથનો મેળો - (C) જૂનાગઢ

(6) વૌઠાનો મેળો - (B) અમદાવાદ


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.


(1) કાંગડા શૈલીની વિશેષતા જણાવો.

ઉત્તર : વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી.


(2) કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?

ઉત્તર : કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા ‘વલ્લમકાલી’ના નામે ઓળખાય છે.


(3) વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું?

ઉત્તર : વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ ‘લીલાતિલકમ્' હતું.


(4) ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ આપો.

ઉત્તર : નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા.


(5) કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?

ઉત્તર : કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું.


પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો.


(1) શૂરવીરની ગાથા ………… અને …………. દ્વારા ગાવામાં આવતી હતી.

ઉત્તર : કાવ્ય, ગીતો


(2) રાજા અનંતવર્મને ……………. નું નિર્માણ કરાવ્યું.

ઉત્તર : જગન્નાથ મંદિર


(3) કુચીપુડીનો ઉદ્ભવ …………..ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.

ઉત્તર : આંધ્ર પ્રદેશ