ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 8. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
સ્વાધ્યાય
પ્રશ્ન 1. યોગ્ય જોડકાં જોડો.
(અ) મેળાઓ
(1) તરણેતરનો મેળો
(2) ચિત્ર-વિચિત્રનો મેળો
(3) મીરાદાતારનો ઉર્સ મુબારક
(4) પલ્લીનો મેળો
(5) ભવનાથનો મેળો
(6) વૌઠાનો મેળો
(બ) જિલ્લાઓ
(A) સાબરકાંઠા
(B) અમદાવાદ
(C) જૂનાગઢ
(D) મહેસાણા
(E) ગાંધીનગર
(F) સુરેન્દ્રનગર
ઉત્તર :
(1) તરણેતરનો મેળો - (F) સુરેન્દ્રનગર
(2) ચિત્ર-વિચિત્રનો મેળો - (A) સાબરકાંઠા
(3) મીરાદાતારનો ઉર્સ મુબારક - (D) મહેસાણા
(4) પલ્લીનો મેળો - (E) ગાંધીનગર
(5) ભવનાથનો મેળો - (C) જૂનાગઢ
(6) વૌઠાનો મેળો - (B) અમદાવાદ
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.
(1) કાંગડા શૈલીની વિશેષતા જણાવો.
ઉત્તર : વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી.
(2) કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?
ઉત્તર : કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા ‘વલ્લમકાલી’ના નામે ઓળખાય છે.
(3) વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું?
ઉત્તર : વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ ‘લીલાતિલકમ્' હતું.
(4) ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ આપો.
ઉત્તર : નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા.
(5) કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?
ઉત્તર : કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું.
પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો.
(1) શૂરવીરની ગાથા ………… અને …………. દ્વારા ગાવામાં આવતી હતી.
ઉત્તર : કાવ્ય, ગીતો
(2) રાજા અનંતવર્મને ……………. નું નિર્માણ કરાવ્યું.
ઉત્તર : જગન્નાથ મંદિર
(3) કુચીપુડીનો ઉદ્ભવ …………..ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.
ઉત્તર : આંધ્ર પ્રદેશ