ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 7 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 7 સ્વાધ્યાય

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 7. ગુપ્તયુગ અને અન્ય શાસકો

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :


(1) ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો?

(A) શ્રીગુપ્ત

(B) ચંદ્રગુપ્ત પહેલો

(C) સમુદ્રગુપ્ત

(D) ચંદ્રગુપ્ત બીજો

ઉત્તર : (A) શ્રીગુપ્ત


(2) સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?

(A) સમુદ્રગુપ્ત

(B) ચંદ્રગુપ્ત બીજો

(C) સ્કંદગુપ્ત

(D) કુમારગુપ્ત

ઉત્તર : (A) સમુદ્રગુપ્ત


(3) દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું?

(A) ચંદ્રગુપ્ત બીજો

(B) સ્કંદગુપ્ત

(C) સમુદ્રગુપ્ત

(D) ચંદ્રગુપ્ત પહેલો

ઉત્તર : (A) ચંદ્રગુપ્ત બીજો


(4) કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી?

(A) વલભી

(B) નાલંદા

(C) વિક્રમશીલા

(D) કાશી

ઉત્તર : (B) નાલંદા


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :


(1) કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો?

ઉત્તર : ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો.


(2) ‘હર્ષચરિતમ’ ના લેખક કોણ હતા?

ઉત્તર : ‘હર્ષચરિતમ્' ના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા.


(3) ગુપ્તયુગનો છેલ્લો રાજા કોણ હતો?

ઉત્તર : ગુપ્તયુગનો છેલ્લો રાજા સ્કંદગુપ્ત હતો.


પ્રશ્ન 3. બંધબેસતાં જોડકાં જોડો :

વિભાગ અ

(1) મુખ્ય સેનાપતિ

(2) જિલ્લા

(3) કર

(4) વાગભટ્ટ

(5) ઈરાનના શહેનશાહ

વિભાગ બ

(a) વિષય

(b) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ

(c) મહાબલાધિકૃત

(d) ખુશરો

(e) અષ્ટાંગહૃદય

ઉત્તર :

(1) મુખ્ય સેનાપતિ - (c) મહાબલાધિકૃત

(2) જિલ્લા - (a) વિષય

(3) કર - (b) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ

(4) વાગભટ્ટ - (e) અષ્ટાંગહૃદય

(5) ઈરાનના શહેનશાહ - (d) ખુશરો