ધોરણ : 9
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 7. સ્વાતંત્ર્યોત્તર ભારત
MCQ : 65
(1) મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ……………….ની સ્થાપના કરી.
(A) આરઝી જૂનાગઢ
(B) આરઝી હકૂમત
(C) આઝાદ જુનાગઢ
(D) એકપણ નહીં
જવાબ : (B) આરઝી હકૂમત
(2) રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ (ચરમૅન)....................હતા.
(A) પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી
(B) હૃદયનાથ કુંઝરુ
(C) કે. એમ. પનિકર
(D) એકપણ નહીં
જવાબ : (A) પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી
(3).………………ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.
(A) 24 નવેમ્બર, 1958
(B) 10 જાન્યુઆરી, 1960
(C) 1 મે, 1960
(D) એકપણ નહીં
જવાબ : (C) 1 મે, 1960
(4) ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં સાતેય રાજ્યોને……………….તરીકે ઓળખવામાં આવે છે.
(A) છ બહેનો
(B) નવ બહેનો
(C) સાત બહેનો
(D) એકપણ નહીં
જવાબ : (C) સાત બહેનો
(5) આજે ભારતીય સંઘ (ઈ. સ. 2016) માં.................રાજ્યો છે.
(A) 29
(B) 35
(C) 27
(D) એકપણ નહીં
જવાબ : (A) 29
(6) ……………….માં બોડો જાતિના લોકો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
(A) મિઝોરમ
(B) મણિપુર
(C) અસમ
(D) એકપણ નહીં
જવાબ : (C) અસમ
(7) આંધ્ર પ્રદેશમાંથી....................રાજયની રચના થઈ.
(A) ઝારખંડ
(B) તેલંગણા
(C) કર્ણાટક
(D) એકપણ નહીં
જવાબ : (B) તેલંગણા
(8) બ્રિટીશરોનો મુખ્ય હેતુ ભારતનું.....................કરવાનો હતો.
(A) વિકાસ
(B) શોષણ
(C) પરાધીન
(D) એકપણ નહીં
જવાબ : (B) શોષણ
(9) ભારતે અંતરિક્ષમાં............... , .............. અને ............. નામના (દૂરસંચાર) ઉપગ્રહો છોડ્યા છે.
(A) દિવાકર, આર્યભટ્ટ, ધૂમકેતુ
(B) આર્યભટ્ટ, ધૂમકેતુ, રોહિણી
(C) આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી
(D) એકપણ નહીં
જવાબ : (C) આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી
(10) આઝદીના દિવસે જ જુનાગઢના નવાબે.................સાથે જોડાણ કર્યું.
(A) હૈદરાબાદ
(B) પાકિસ્તાન
(C) ભારતીય સંઘ
(D) એકપણ નહીં
જવાબ : (B) પાકિસ્તાન
(11) ઈ. સ. 1956માં.................રાજ્યને આંધ્ર પ્રદેશ રાજ્યમાં સમાવવામાં આવ્યું.
(A) હૈદરાબાદ
(B) મૈસૂર
(C) કર્ણાટક
(D) એકપણ નહીં
જવાબ : (A) હૈદરાબાદ
(12) .................સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા.
(A) ડૉ. વિક્રમ સારાભાઈ
(B) કનૈયાલાલ મુનશી
(C) વી. પી. મેનન
(D) એકપણ નહીં
જવાબ : (C) વી. પી. મેનન
(13) આઝાદી મળી એ સમયે કશ્મીરના મહારાજા.................હતા.
(A) ચેતસિંહ માનવા
(B) હરિસિંહ ડોગરા
(C) માનસિંહ ડોગરા
(D) એકપણ નહીં
જવાબ : (B) હરિસિંહ ડોગરા
(14) ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગીઝ સરકાર દ્વારા અત્યાચાર થતાં................માં સત્યાગ્રહીઓ શહીદ થયા.
(A) ગોવામુક્તિ આંદોલન
(B) ગોવાવિજય આંદોલન
(C) ઑપરેશન વિજય
(D) એકપણ નહીં
જવાબ : (A) ગોવામુક્તિ આંદોલન
(15) ગોવાનું મુખ્ય મથક....................છે.
(A) સેલવાસ
(B) દમણ
(C) પણજી
(D) એકપણ નહીં
જવાબ : (C) પણજી
(16) ઉત્તરાખંડની રાજધાની..............છે.
(A) દેહરાદૂન
(B) ચંડીગઢ
(C) શિમલા
(D) એકપણ નહીં
જવાબ : (A) દેહરાદૂન
(17) ભારતમાં ભાષાવાદે..............ને ઉત્તેજન આપ્યું છે.
(A) વિવિધતા
(B) જ્ઞાતિવાદ
(C) પ્રદેશવાદ
(D) એકપણ નહીં
જવાબ : (C) પ્રદેશવાદ
(18) ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ................મહાન વૈજ્ઞાનિક હતા.
(A) ડૉ. હોમીભાભા
(B) એ. પી. જે. અબ્દુલ કલામ
(C) ડૉ. રાજા રામન્ના
(D) એકપણ નહીં
જવાબ : (B) એ. પી. જે. અબ્દુલ કલામ
(19) ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારનાં.................વિકસાવ્યાં છે.
(A) GSLV
(B) GTPL
(C) GSTL
(D) એકપણ નહીં
જવાબ : (A) GSLV
(20) સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
(A) સુભાષચંદ્ર બોઝની
(B) વડોદરાના ગાયકવાડની
(C) સરદાર વલ્લભભાઈ પટેલની
(D) મોતીલાલ નેહરુની
જવાબ : (C) સરદાર વલ્લભભાઈ પટેલની
(21) પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?
(A) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ
(B) સોવિયેત સરકાર સમક્ષ
(C) અમેરિકન સરકાર સમક્ષ
(D) સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સમક્ષ
જવાબ : (A) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ
(22) ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન ક્યો છે?
(A) 1 મે, 1961
(B) 1 મે, 1960
(C) 1 મે, 1962
(D) 1 મે, 1970
જવાબ : (B) 1 મે, 1960
(23) ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?
(A) સેવન સિસ્ટર્સ' (સાત બહેનો)
(B) ‘ગિરિવૃંદો’
(C) ‘સપ્તક રાજ્યો'
(D) ‘ગિરિબહેનો’
જવાબ : (A) સેવન સિસ્ટર્સ' (સાત બહેનો)
(24) નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત નથી?
(A) ચંડીગઢ
(B) જમ્મુ-કશ્મીર
(C) લક્ષદ્વીપ
(D) પુડુચેરી
જવાબ : (B) જમ્મુ-કશ્મીર
(25) ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?
(A) ઉત્તરાખંડ
(B) છત્તીસગઢ
(C) તેલંગણા
(D) ઝારખંડ
જવાબ : (C) તેલંગણા
(26) ઝારખંડ રાજ્ય ક્યા રાજ્યમાંથી અલગ પડ્યું?
(A) છત્તીસગઢ
(B) બિહાર
(C) તેલંગણા
(D) ઉત્તરાખંડ
જવાબ : (B) બિહાર
(27) મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ છે?
(A) વિદર્ભની
(B) સોલાપુરની
(C) નાગપુરની
(D) સાતારાની
જવાબ : (A) વિદર્ભની
(28) હાલ (ઈ.સ. 2016) ભારતીય સંધમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે?
(A) 26
(B) 27
(C) 28
(D) 29
જવાબ : (D) 29
(29) નીચેનાંમાંથી કયાં બે રાજ્યો ‘સેવન સિસ્ટર્સ’ માંનાં રાજ્યો નથી?
(A) મણિપુર, અસમ
(B) ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ
(C) મિઝોરમ, નાગાલૅન્ડ
(D) ઉત્તરાખંડ, ઝારખંડ
જવાબ : (D) ઉત્તરાખંડ, ઝારખંડ
(30) નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી?
(A) આંધ્ર પ્રદેશ
(B) ગોવા
(C) દિલ્લી
(D) ગુજરાત
જવાબ : (B) ગોવા
(31) ભારત સ્વતંત્ર બન્યા પછી (દેશના) સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી?
(A) કૃષિપંચની
(B) શિક્ષણપંચની
(C) આયોજનપંચની
(D) કોઠારી પંચની
જવાબ : (C) આયોજનપંચની
(32) ઉઘોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કઈ ટેકનોલૉજીનો ઉપયોગ વધી રહ્યો છે?
(A) બાયો-ટેક્નોલૉજીનો
(B) અણુ-ટેક્નોલૉજીનો
(C) સ્પેસ-ટેક્નોલૉજીનો
(D) માઇનિંગ-ટેક્નોલૉજીનો
જવાબ : (A) બાયો-ટેક્નોલૉજીનો
(33) સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ-યોગદિન તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે?
(A) 12 માર્ચના દિવસને
(B) 21 જૂનના દિવસને
(C) 15 ઑગસ્ટના દિવસને
(D) 26 જાન્યુઆરીના દિવસને
જવાબ : (B) 21 જૂનના દિવસને
(34) હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
(A) કનૈયાલાલ મુનશીએ
(B) લાલબહાદુર શાસ્ત્રીએ
(C) વી. પી. મેનને
(D) જયપ્રકાશજીએ
જવાબ : (A) કનૈયાલાલ મુનશીએ
(35) ‘આરઝી હકૂમત'ની સ્થાપના કોણે કરી?
(A) શામળદાસ ગાંધીએ
(B) ભારત સરકારે
(C) જૂનાગઢના નાગરિકોએ
(D) રતુભાઈ અદાણીએ
જવાબ : (C) જૂનાગઢના નાગરિકોએ
(36) જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કરી?
(A) મુંબઈમાં
(B) રાજકોટમાં
(C) અમદાવાદમાં
(D) જુનાગઢમાં
જવાબ : (A) મુંબઈમાં
(37) ભારત સરકારે જૂનાગઢને ભારતસંઘ સાથે કેવી રીતે જોડી દીધું?
(A) લોકમત લઈને
(B) સમજાવટથી
(C) પોલીસ પગલું ભરીને
(D) લાલચ આપીને
જવાબ : (A) લોકમત લઈને
(38) ભારત આઝાદ થયું ત્યારે કશ્મીરના રાજા કોણ હતા?
(A) માધોસિંહ
(B) માણેકરાવ
(C) જયસિંહ
(D) હરિસિંહ
જવાબ : (D) હરિસિંહ
(39) પુડુચેરીમાં લોકોએ ફ્રેંચ સરકારને શેનું એલાન આપ્યું?
(A) ‘પુડુચેરી છોડો’ નું
(B) ‘ભારત છોડો’ નું
(C) ‘યેનામ છોડો’ નું
(D) 'શરણાગતિ સ્વીકારો' નું
જવાબ : (B) ‘ભારત છોડો’ નું
(40) રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીઝોથી મુક્ત કરવા શું કર્યું?
(A) ‘ગોવામુક્તિ આંદોલન'
(B) ‘પોલીસ પગલું’
(C) ‘ઓપરેશન વિજય’
(D) ‘હિંદ છોડો' આંદોલન’
જવાબ : (A) ‘ગોવામુક્તિ આંદોલન'
(41) ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે શું કર્યું?
(A) ‘પોલીસ પગલું’
(B) ‘ગોવા છોડો’ આંદોલન
(C) ‘ગોવા વિજય’
(D) ‘ઑપરેશન વિજય'
જવાબ : (D) ‘ઑપરેશન વિજય'
(42) દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે?
(A) પિંપરી
(B) દમણ
(C) સેલવાસ
(D) પણજી
જવાબ : (C) સેલવાસ
(43) દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે?
(A) પણજી
(B) દમણ
(C) દીવ
(D) સેલવાસ
જવાબ : (B) દમણ
(44) ગોવાનું મુખ્ય મથક કયું છે?
(A) પણજી
(B) પિંપરી
(C) સેલવાસ
(D) દમણ
જવાબ : (A) પણજી
(45) ‘રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ' (ચૅરમૅન) કોણ હતા?
(A) ફઝલઅલી
(B) અબુલ ફઝલ
(C) હૃદયનાથ કુંઝરુ
(D) કે. એમ. પનિકર
જવાબ : (A) ફઝલઅલી
(46) રાજ્યોની પુનર્રચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
(A) 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો
(B) 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો
(C) 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો
(D) 12 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો
જવાબ : (C) 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો
(47) ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
(A) 1 માર્ચ, 1958ના રોજ
(B) 31 ઓગસ્ટ, 1960ના રોજ
(C) 10 જાન્યુઆરી, 1961ના રોજ
(D) 1 મે, 1960ના રોજ
જવાબ : (D) 1 મે, 1960ના રોજ
(48) ઈ. સ. 2000માં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
(A) ઉત્તરાખંડની
(B) છત્તીસગઢની
(C) તેલંગણા
(D) ઝારખંડની
જવાબ : (D) ઝારખંડની
(49) ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
(A) છત્તીસગઢની
(B) ઝારખંડની
(C) આંધ્ર પ્રદેશની
(D) ઉત્તરાખંડની
જવાબ : (A) છત્તીસગઢની
(50) ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
(A) ઝારખંડની
(B) છત્તીસગઢની
(C) ઉત્તરાખંડની
(D) તેલંગણાની
જવાબ : (C) ઉત્તરાખંડની
(51) આંધ્ર પ્રદેશનો કયો વિસ્તાર આર્થિક દૃષ્ટિએ પછાત છે?
(A) રાયલસીમા
(B) પેનુકોંડા
(C) મર્કાપુર
(D) આદોની
જવાબ : (A) રાયલસીમા
(52) છેલ્લા પાંચ દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે?
(A) કૃષિક્ષેત્રે
(B) ઔદ્યોગિક ક્ષેત્રે
(C) ખનીજ-સંશાધનના ક્ષેત્રે
(D) વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે
જવાબ : (D) વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે
(53) ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે?
(A) સામ પિત્રોડાએ
(B) ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે
(C) ઈ. શ્રીધરને
(D) કે. જયવર્ધને
જવાબ : (C) ઈ. શ્રીધરને
(54) ભારતે રાજસ્થાનમાં કયા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા?
(A) પોખરણ
(B) જૈસલમેર
(C) ખેતડી
(D) કોલાયત
જવાબ : (A) પોખરણ
(55) જૂનાગઢના નવાબે કોને જોડાણખત લખી આપ્યું?
(A) હૈદરાબાદને
(B) કશ્મીરને
(C) ભારતસંઘને
(D) પાકિસ્તાનને
જવાબ : (D) પાકિસ્તાનને
(56) પાકિસ્તાને ભારતના કયા દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી?
(A) જમ્મુ-કશ્મીરને
(B) જૂનાગઢને
(C) હૈદરાબાદને
(D) રાજસ્થાનને
જવાબ : (B) જૂનાગઢને
(57) ઈ. સ. 1975માં ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ છોડયો હતો?
(A) ભાસ્કર
(B) રોહિણી
(C) પૃથ્વી
(D) આર્યભટ્ટ
જવાબ : (D) આર્યભટ્ટ
(58) ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે?
(A) પટના
(B) ભોપાલ
(C) દિલ્લી
(D) લખનઉ
જવાબ : (D) લખનઉ
(59) ઉત્તરાખંડની રાજધાની કઈ છે?
(A) શિમલા
(B) દેહરાદૂન
(C) રાયપુર
(D) દીસપુર
જવાબ : (B) દેહરાદૂન
(60) કર્ણાટકની રાજધાની કઈ છે?
(A) બેંગલૂરૂ
(B) ઇમ્ફાલ
(C) ચંડીગઢ
(D) ચેન્નઈ
જવાબ : (A) બેંગલૂરૂ
(61) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) ભારત સરકારે ‘પોલીસ પગલું’ ભરીને હૈદરાબાદને ભારતીય સંધમાં જોડી દીધું.
(B) બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.
(C) યમનમાં લોકોએ મુક્તિસેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો.
(D) હૈદરાબાદ રાજ્યને આંધ્ર પ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું.
(A) B, A, C, D
(B) A, B, C, D
(C) A, B, D, C
(D) B, A, D, C
જવાબ : (A) B, A, C, D
(62) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) ભારતના રાજ્યબંધારણનો અમલ શરૂ થયો.
(B) આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ.
(C) ગોવા, દીવ, દમણ, દાદરા-નગરહવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યાં.
(D) બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી.
(A) A, B, C, D
(B) A, C, D, B
(C) C, D, A, B,
(D) A, C, B, D
જવાબ : (B) A, C, D, B
(63) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.
(A) ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.
(B) મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી.
(C) જવાહરલાલ નેહરુએ સંસદમાં ‘રાજ્ય પુનર્રચનાપંચ' નીમવાની જાહેરાત કરી.
(D) ભારતે અવકાશમાં આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છોડ્યો.
(A) A, B, C, D
(B) C, D, A, B
(C) C, A, D, B
(D) C, A, B, D
જવાબ : (C) C, A, D, B
(64) સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
(A) સુભાષચંદ્ર બોઝની
(B) વડોદરાના ગાયકવાડની
(C) સરદાર વલ્લભભાઈ પટેલની
(D) મોતીલાલ નેહરુની
જવાબ : (C) સરદાર વલ્લભભાઈ પટેલની
(65) પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?
(A) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ
(B) સોવિયેત સરકાર સમક્ષ
(C) અમેરિકન સરકાર સમક્ષ
(D) સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સમક્ષ
જવાબ : (A) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ