ધોરણ : 10
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 9. વન અને વન્ય જીવ સંસાધન
MCQ : 50
(1) જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને..........વનસ્પતિ કહે છે.
(A) ક્ષત
(B) અક્ષત
(C) વિક્ષત
(D) એકપણ નહીં
જવાબ : (B) અક્ષત
(2) ……………….જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે.
(A) અનામત
(B) સંરક્ષિત
(C) અવર્ગીકૃત
(D) એકપણ નહીં
જવાબ : (A) અનામત
(3) ……………..જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
(A) સંરક્ષિત
(B) અવર્ગીકૃત
(C) અનામત
(D) એકપણ નહીં
જવાબ : (A) સંરક્ષિત
(4) ……………….જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.
(A) સામુદાયિક
(B) સંરક્ષિત
(C) અનામત
(D) એકપણ નહીં
જવાબ : (A) સામુદાયિક
(5) .....................એટલે જંગલોનું નષ્ટ થવું.
(A) વનીકરણ
(B) નિર્વનીકરણ
(C) અવનીકરણ
(D) એકપણ નહીં
જવાબ : (B) નિર્વનીકરણ
(6) નિર્વનીકરણને લીધે વાતાવરણમાં……………..વાયુની માત્રા વધે છે.
(A) નાઇટ્રોજન
(B) ઑક્સિજન
(C) કાર્બન ડાયૉક્સાઇડ
(D) એકપણ નહીં
જવાબ : (C) કાર્બન ડાયૉક્સાઇડ
(7) વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ .........લાખ જેટલી પ્રજાતિઓ છે.
(A) 12
(B) 15
(C) 18
(D) 20
જવાબ : (B) 15
(8) ભારતમાં પશુ-પક્ષીઓની….........પ્રજાતિઓ જોવા મળે છે.
(A) 81851
(B) 81251
(C) 81100
(D) 81350
જવાબ : (B) 81251
(9) ………………માં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.
(A) ભારત
(B) આફ્રિકા
(C) શ્રીલંકા
(D) એકપણ નહીં
જવાબ : (A) ભારત
(10) શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ……………ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.
(A) સરિસ્કા
(B) રણથંભોર
(C) કેવલાદેવ
(D) એકપણ નહીં
જવાબ : (C) કેવલાદેવ
(11) શિયાળા દરમિયાન ગુજરાતમાં……………માં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.
(A) નળ સરોવર
(B) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
(C) વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન
(D) એકપણ નહીં
જવાબ : (A) નળ સરોવર
(12) આજે ગુજરાતનાં જંગલોમાંથી……………સંપૂર્ણપણે નષ્ટ થયા છે.
(A) સિંહ
(B) દીપડા
(C) વાઘ
(D) એકપણ નહીં
જવાબ : (C) વાઘ
(13) ભારતનાં જંગલોમાંથી……………….સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે.
(A) વાધ
(B) ચિત્તો
(C) દીપડો
(D) એકપણ નહીં
જવાબ : (B) ચિત્તો
(14) હાલમાં ભારતમાં કુલ..........જેટલાં ક્ષેત્રોમાં વાધ પરિયોજન કાર્યરત છે.
(A) 44
(B) 24
(C) 34
(D) 14
જવાબ : (A) 44
(15) ઈ. સ............માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી.
(A) 1971
(B) 1985
(C) 1992
(D) 1978
જવાબ : (C) 1992
(16) હાલમાં ભારતમાં હાથીઓ માટે……………..જેટલા સંરક્ષિત વિસ્તારો છે.
(A) 36
(B) 26
(C) 44
(D) 28
જવાબ : (B) 26
(17) ગેંડા પરિયોજના…………….શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.
(A) ત્રિ
(B) દ્વિ
(C) એક
(D) એકપણ નહીં
જવાબ : (C) એક
(18) ગીધ એ…………….નો સફાઇ કામદાર ગણાય છે.
(A) કુદરત
(B) માનવી
(C) દુનિયા
(D) એકપણ નહીં
જવાબ : (A) કુદરત
(19) ભારતમાં ગીધની કુલ.......……….પ્રજાતિઓ જોવા મળે છે.
(A) 12
(B) 15
(C) 9
(D) 10
જવાબ : (C) 9
(20) ........…માં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.
(A) રાષ્ટ્રીય ઉદ્યાન
(B) અભયારણ્ય
(C) જૈવ આરક્ષિત ક્ષેત્ર
(D) એકપણ નહીં
જવાબ : (B) અભયારણ્ય
(21) ભારતમાં કુલ............જેટલાં જેવ આરક્ષિત ક્ષેત્રો છે.
(A) 23
(B) 18
(C) 25
(D) 21
જવાબ : (B) 18
(22) ભારતમાં કુલ...........જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
(A) 110
(B) 103
(C) 220
(D) 112
જવાબ : (B) 103
(23) ભારતમાં કુલ .........જેટલાં અભયારણ્યો છે.
(A) 531
(B) 445
(C) 550
(D) 441
જવાબ : (A) 531
(24) ગુજરાતમાં…………….જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.
(A) 1
(B) 5
(C) 8
(D) 7
જવાબ : (A) 1
(25) ગુજરાતમાં............જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
(A) 10
(B) 4
(C) 6
(D) 7
જવાબ : (B) 4
(26) ગુજરાતમાં….........જેટલાં અભયારણ્યો છે.
(A) 43
(B) 33
(C) 23
(D) 25
જવાબ : (C) 23
(27) ………………..ની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.
(A) અભયારણ્ય
(B) જૈવ આરક્ષિત ક્ષેત્ર
(C) રાષ્ટ્રીય ઉદ્યાન
(D) એકપણ નહીં
જવાબ : (B) જૈવ આરક્ષિત ક્ષેત્ર
(28) ……..………નો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચો કિમીથી મોટો હોય છે.
(A) રાષ્ટ્રીય ઉદ્યાન
(B) અભયારણ્ય
(C) જૈવ આરક્ષિત ક્ષેત્ર
(D) એકપણ નહીં
જવાબ : (C) જૈવ આરક્ષિત ક્ષેત્ર
(29) ……………..ના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.
(A) જૈવ આરક્ષિત ક્ષેત્ર
(B) અભયારણ્ય
(C) રાષ્ટ્રીય ઉદ્યાન
(D) એકપણ નહીં
જવાબ : (A) જૈવ આરક્ષિત ક્ષેત્ર
(30) જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં...............સ્થાને છે.
(A) દસમા
(B) બારમા
(C) પંદરમા
(D) એકપણ નહીં
જવાબ : (B) બારમા
(31) એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલો લગભગ...........હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.
(A) 20
(B) 30
(C) 40
(D) 50
જવાબ : (C) 40
(32) ………………..કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે.
(A) ચિત્તો
(B) હાથી
(C) ગેંડો
(D) એકપણ નહીં
જવાબ : (A) ચિત્તો
(33) ………………..આપણા દેશનું મહત્ત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.
(A) વેળાવદર
(B) નીલગિરિ
(C) ચંદ્રપ્રભા
(D) એકપણ નહીં
જવાબ : (B) નીલગિરિ
(34) માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે?
(A) ક્ષત
(B) અખંડ
(C) અક્ષત
(D) ખંડિત
જવાબ : (C) અક્ષત
(35) વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી?
(A) અનામત
(B) સંરક્ષિત
(C) અવર્ગીકૃત
(D) વર્ગીકૃત
જવાબ : (D) વર્ગીકૃત
(36) કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે?
(A) અનામૃત
(B) જાહેર
(C) અવર્ગીકૃત
(D) વર્ગીકૃત
જવાબ : (A) અનામૃત
(37) કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદન અને પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ નથી?
(A) અનામત
(B) અવર્ગીકૃત
(C) જાહેર
(D) વર્ગીકૃત
જવાબ : (B) અવર્ગીકૃત
(38) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો……………
(A) ગ્રામ્ય વનો
(B) અભયારણ્ય
(C) સામુદાયિક જંગલ
(D) ઝૂમ જંગલ
જવાબ : (C) સામુદાયિક જંગલ
(39) ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે?
(A) ખાનગી
(B) જાહેર
(C) સામુદાયિક
(D) અનામત
જવાબ : (A) ખાનગી
(40) જંગલ વિનાશની અસર છે.
(A) રણવિસ્તારમાં ઘટાડો થાય છે.
(B) ભૂગર્ભજળમાં વધારો થાય છે.
(C) તાપમાનમાં વધારો થાય છે.
(D) વરસાદના પ્રમાણમાં વધારો થાય છે.
જવાબ : (C) તાપમાનમાં વધારો થાય છે.
(41) ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ?
(A) પેટ્રોલ ઊર્જાનો
(B) સૌરઊર્જાનો
(C) ડીઝલ ઊર્જાનો
(D) કેરોસીન ઊર્જાનો
જવાબ : (B) સૌરઊર્જાનો
(42) વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?
(A) બાર લાખ
(B) એકવીસ લાખ
(C) સાત લાખ
(D) પંદર લાખ
જવાબ : (D) પંદર લાખ
(43) વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?
(A) પંદરમું
(B) બારમું
(C) દસમું
(D) આઠમું
જવાબ : (B) બારમું
(44) દુનિયામાં કયો એવો દેશ છે, જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?
(A) રશિયા
(B) ચીન
(C) ભારત
(D) બ્રાઝિલ
જવાબ : (C) ભારત
(45) ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે?
(A) હાથી
(B) દીપડો
(C) ચિત્તો
(D) ઘુડખર
જવાબ : (C) ચિત્તો
(46) ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે?
(A) ઘુડખર
(B) રીંછ
(C) વાઘ
(D) દીપડો
જવાબ : (C) વાઘ
(47) ભારતમાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યાં છે?
(A) સિંહ, હાથી, ઘોરાડ
(B) દીપડો, વાઘ, હાથી
(C) સાબર, ઘુડખર, ડૉલ્ફિન
(D) ગુલાબી ગરદનવાળી બતક, સારસ
જવાબ : (D) ગુલાબી ગરદનવાળી બતક, સારસ
(48) ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?
(A) અસમ
(B) નાગાલૅન્ડ
(C) મિઝોરમ
(D) અરુણાચલ પ્રદેશ
જવાબ : (A) અસમ
(49) પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જુજ સંખ્યામાં મળી આવે છે.
(A) ચિત્તાને
(B) વાઘને
(C) ગેંડાને
(D) હાથીને
જવાબ : (C) ગેંડાને
(50) ગુજરાતના ક્યા વિસ્તારને ઈ. સ. 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે?
(A) નળ સરોવરને
(B) ગીરને
(C) વેળાવદરને
(D) કચ્છના રણને
જવાબ : (D) કચ્છના રણને