ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ

ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 9. વન અને વન્ય જીવ સંસાધન

MCQ : 50


(1) જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને..........વનસ્પતિ કહે છે.

(A) ક્ષત

(B) અક્ષત

(C) વિક્ષત

(D) એકપણ નહીં

જવાબ : (B) અક્ષત


(2) ……………….જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે.

(A) અનામત

(B) સંરક્ષિત

(C) અવર્ગીકૃત

(D) એકપણ નહીં

જવાબ : (A) અનામત


(3) ……………..જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.

(A) સંરક્ષિત

(B) અવર્ગીકૃત

(C) અનામત

(D) એકપણ નહીં

જવાબ : (A) સંરક્ષિત


(4) ……………….જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.

(A) સામુદાયિક

(B) સંરક્ષિત

(C) અનામત

(D) એકપણ નહીં

જવાબ : (A) સામુદાયિક


(5) .....................એટલે જંગલોનું નષ્ટ થવું.

(A) વનીકરણ

(B) નિર્વનીકરણ

(C) અવનીકરણ

(D) એકપણ નહીં

જવાબ : (B) નિર્વનીકરણ


(6) નિર્વનીકરણને લીધે વાતાવરણમાં……………..વાયુની માત્રા વધે છે.

(A) નાઇટ્રોજન

(B) ઑક્સિજન

(C) કાર્બન ડાયૉક્સાઇડ

(D) એકપણ નહીં

જવાબ : (C) કાર્બન ડાયૉક્સાઇડ


(7) વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ .........લાખ જેટલી પ્રજાતિઓ છે.

(A) 12

(B) 15

(C) 18

(D) 20

જવાબ : (B) 15


(8) ભારતમાં પશુ-પક્ષીઓની….........પ્રજાતિઓ જોવા મળે છે.

(A) 81851

(B) 81251

(C) 81100

(D) 81350

જવાબ : (B) 81251


(9) ………………માં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.

(A) ભારત

(B) આફ્રિકા

(C) શ્રીલંકા

(D) એકપણ નહીં

જવાબ : (A) ભારત


(10) શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ……………ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.

(A) સરિસ્કા

(B) રણથંભોર

(C) કેવલાદેવ

(D) એકપણ નહીં

જવાબ : (C) કેવલાદેવ


(11) શિયાળા દરમિયાન ગુજરાતમાં……………માં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.

(A) નળ સરોવર

(B) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન

(C) વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન

(D) એકપણ નહીં

જવાબ : (A) નળ સરોવર


(12) આજે ગુજરાતનાં જંગલોમાંથી……………સંપૂર્ણપણે નષ્ટ થયા છે.

(A) સિંહ

(B) દીપડા

(C) વાઘ

(D) એકપણ નહીં

જવાબ : (C) વાઘ


(13) ભારતનાં જંગલોમાંથી……………….સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે.

(A) વાધ

(B) ચિત્તો

(C) દીપડો

(D) એકપણ નહીં

જવાબ : (B) ચિત્તો


(14) હાલમાં ભારતમાં કુલ..........જેટલાં ક્ષેત્રોમાં વાધ પરિયોજન કાર્યરત છે.

(A) 44

(B) 24

(C) 34

(D) 14

જવાબ : (A) 44


(15) ઈ. સ............માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી.

(A) 1971

(B) 1985

(C) 1992

(D) 1978

જવાબ : (C) 1992


(16) હાલમાં ભારતમાં હાથીઓ માટે……………..જેટલા સંરક્ષિત વિસ્તારો છે.

(A) 36

(B) 26

(C) 44

(D) 28

જવાબ : (B) 26


(17) ગેંડા પરિયોજના…………….શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.

(A) ત્રિ

(B) દ્વિ

(C) એક

(D) એકપણ નહીં

જવાબ : (C) એક


(18) ગીધ એ…………….નો સફાઇ કામદાર ગણાય છે.

(A) કુદરત

(B) માનવી

(C) દુનિયા

(D) એકપણ નહીં

જવાબ : (A) કુદરત


(19) ભારતમાં ગીધની કુલ.......……….પ્રજાતિઓ જોવા મળે છે.

(A) 12

(B) 15

(C) 9

(D) 10

જવાબ : (C) 9


(20) ........…માં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.

(A) રાષ્ટ્રીય ઉદ્યાન

(B) અભયારણ્ય

(C) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(D) એકપણ નહીં

જવાબ : (B) અભયારણ્ય


(21) ભારતમાં કુલ............જેટલાં જેવ આરક્ષિત ક્ષેત્રો છે.

(A) 23

(B) 18

(C) 25

(D) 21

જવાબ : (B) 18


(22) ભારતમાં કુલ...........જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

(A) 110

(B) 103

(C) 220

(D) 112

જવાબ : (B) 103


(23) ભારતમાં કુલ .........જેટલાં અભયારણ્યો છે.

(A) 531

(B) 445

(C) 550

(D) 441

જવાબ : (A) 531


(24) ગુજરાતમાં…………….જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.

(A) 1

(B) 5

(C) 8

(D) 7

જવાબ : (A) 1


(25) ગુજરાતમાં............જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

(A) 10

(B) 4

(C) 6

(D) 7

જવાબ : (B) 4


(26) ગુજરાતમાં….........જેટલાં અભયારણ્યો છે.

(A) 43

(B) 33

(C) 23

(D) 25

જવાબ : (C) 23


(27) ………………..ની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.

(A) અભયારણ્ય

(B) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(C) રાષ્ટ્રીય ઉદ્યાન

(D) એકપણ નહીં

જવાબ : (B) જૈવ આરક્ષિત ક્ષેત્ર


(28) ……..………નો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચો કિમીથી મોટો હોય છે.

(A) રાષ્ટ્રીય ઉદ્યાન

(B) અભયારણ્ય

(C) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(D) એકપણ નહીં

જવાબ : (C) જૈવ આરક્ષિત ક્ષેત્ર


(29) ……………..ના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.

(A) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(B) અભયારણ્ય

(C) રાષ્ટ્રીય ઉદ્યાન

(D) એકપણ નહીં

જવાબ : (A) જૈવ આરક્ષિત ક્ષેત્ર


(30) જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં...............સ્થાને છે.

(A) દસમા

(B) બારમા

(C) પંદરમા

(D) એકપણ નહીં

જવાબ : (B) બારમા


(31) એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલો લગભગ...........હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.

(A) 20

(B) 30

(C) 40

(D) 50

જવાબ : (C) 40


(32) ………………..કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે.

(A) ચિત્તો

(B) હાથી

(C) ગેંડો

(D) એકપણ નહીં

જવાબ : (A) ચિત્તો


(33) ………………..આપણા દેશનું મહત્ત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.

(A) વેળાવદર

(B) નીલગિરિ

(C) ચંદ્રપ્રભા

(D) એકપણ નહીં

જવાબ : (B) નીલગિરિ


(34) માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે?

(A) ક્ષત

(B) અખંડ

(C) અક્ષત

(D) ખંડિત

જવાબ : (C) અક્ષત


(35) વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી?

(A) અનામત

(B) સંરક્ષિત

(C) અવર્ગીકૃત

(D) વર્ગીકૃત

જવાબ : (D) વર્ગીકૃત


(36) કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે?

(A) અનામૃત

(B) જાહેર

(C) અવર્ગીકૃત

(D) વર્ગીકૃત

જવાબ : (A) અનામૃત


(37) કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદન અને પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ નથી?

(A) અનામત

(B) અવર્ગીકૃત

(C) જાહેર

(D) વર્ગીકૃત

જવાબ : (B) અવર્ગીકૃત


(38) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો……………

(A) ગ્રામ્ય વનો

(B) અભયારણ્ય

(C) સામુદાયિક જંગલ

(D) ઝૂમ જંગલ

જવાબ : (C) સામુદાયિક જંગલ


(39) ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે?

(A) ખાનગી

(B) જાહેર

(C) સામુદાયિક

(D) અનામત

જવાબ : (A) ખાનગી


(40) જંગલ વિનાશની અસર છે.

(A) રણવિસ્તારમાં ઘટાડો થાય છે.

(B) ભૂગર્ભજળમાં વધારો થાય છે.

(C) તાપમાનમાં વધારો થાય છે.

(D) વરસાદના પ્રમાણમાં વધારો થાય છે.

જવાબ : (C) તાપમાનમાં વધારો થાય છે.


(41) ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ?

(A) પેટ્રોલ ઊર્જાનો

(B) સૌરઊર્જાનો

(C) ડીઝલ ઊર્જાનો

(D) કેરોસીન ઊર્જાનો

જવાબ : (B) સૌરઊર્જાનો


(42) વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?

(A) બાર લાખ

(B) એકવીસ લાખ

(C) સાત લાખ

(D) પંદર લાખ

જવાબ : (D) પંદર લાખ


(43) વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

(A) પંદરમું

(B) બારમું

(C) દસમું

(D) આઠમું

જવાબ : (B) બારમું


(44) દુનિયામાં કયો એવો દેશ છે, જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?

(A) રશિયા

(B) ચીન

(C) ભારત

(D) બ્રાઝિલ

જવાબ : (C) ભારત


(45) ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે?

(A) હાથી

(B) દીપડો

(C) ચિત્તો

(D) ઘુડખર

જવાબ : (C) ચિત્તો


(46) ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે?

(A) ઘુડખર

(B) રીંછ

(C) વાઘ

(D) દીપડો

જવાબ : (C) વાઘ


(47) ભારતમાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યાં છે?

(A) સિંહ, હાથી, ઘોરાડ

(B) દીપડો, વાઘ, હાથી

(C) સાબર, ઘુડખર, ડૉલ્ફિન

(D) ગુલાબી ગરદનવાળી બતક, સારસ

જવાબ : (D) ગુલાબી ગરદનવાળી બતક, સારસ


(48) ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?

(A) અસમ

(B) નાગાલૅન્ડ

(C) મિઝોરમ

(D) અરુણાચલ પ્રદેશ

જવાબ : (A) અસમ


(49) પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જુજ સંખ્યામાં મળી આવે છે.

(A) ચિત્તાને

(B) વાઘને

(C) ગેંડાને

(D) હાથીને

જવાબ : (C) ગેંડાને


(50) ગુજરાતના ક્યા વિસ્તારને ઈ. સ. 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે?

(A) નળ સરોવરને

(B) ગીરને

(C) વેળાવદરને

(D) કચ્છના રણને

જવાબ : (D) કચ્છના રણને