ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ

ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 4. ભારતનો સાહિત્યિક વારસો

MCQ : 76


(1) પ્રાચીન ભારતની લિપિ.....................સમયની છે.

(A) પ્રશિષ્ટ

(B) વૈદિક

(C) હડપ્પા

(D) એકપણ નહીં

જવાબ : (C) હડપ્પા


(2) મહાન વ્યાકરણશાસ્ત્રી મહિર્ષ પાણિનિએ...............ગ્રંથની રચના કરી હતી.

(A) અષ્ટાધ્યાયી

(B) અર્થશાસ્ત્ર

(C) ઋગ્વેદ

(D) એકપણ નહીં

જવાબ : (A) અષ્ટાધ્યાયી


(3) …………..ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા' કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે.

(A) પ્રાકૃત

(B) સંસ્કૃત

(C) હિંદી

(D) એકપણ નહીં

જવાબ : (B) સંસ્કૃત


(4) …………………ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.

(A) ઋગ્વેદ

(B) સામવેદ

(C) રામાયણ

(D) મહાભારત

જવાબ : (A) ઋગ્વેદ


(5) …………………ને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.

(A) ઋગ્વેદ

(B) અથર્વવેદ

(C) સામવેદ

(D) યજુર્વેદ

જવાબ : (C) સામવેદ


(6) ..................માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

(A) અથર્વવેદ

(B) યજુર્વેદ

(C) ઋગ્વેદ

(D) સામવેદ

જવાબ : (A) અથર્વવેદ


(7) …………….યજ્ઞનો વેદ કહેવાય છે.

(A) સામવેદ

(B) અથર્વવેદ

(C) યજુર્વેદ

(D) ઋગ્વેદ

જવાબ : (C) યજુર્વેદ


(8) ………………વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.

(A) રામાયણ

(B) મહાભારત

(C) શ્રીમદ્ભગવદ્ગીતા

(D) એકપણ નહીં

જવાબ : (B) મહાભારત


(9) ………………માં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.

(A) શ્રીમદ્ભગવદ્ગીતા

(B) રામાયણ

(C) મહાભારત

(D) એકપણ નહીં

જવાબ : (A) શ્રીમદ્ભગવદ્ગીતા


(10) પ્રારંભિક………………….સાહિત્યને ‘ત્રિપિટક' તરીકે ઓળખવામાં આવે છે.

(A) બૌદ્ધ

(B) જૈન

(C) સંસ્કૃત

(D) એકપણ નહીં

જવાબ : (A) બૌદ્ધ


(11) ……………….દ્રવિડકુળની સૌથી જૂની ભાષા છે.

(A) મલયાલમ

(B) કન્નડ

(C) તમિલ

(D) એકપણ નહીં

જવાબ : (C) તમિલ


(12) ………………કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે.

(A) કુરલ

(B) એત્તુથોકઈ

(C) તોલકાપ્પિયમ

(D) એકપણ નહીં

જવાબ : (A) કુરલ


(13) …………………ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કશ્મીરનો ઇતિહાસ આલેખે છે.

(A) કથાસરિતસાગર

(B) ગીતગોવિંદ

(C) રાજતરંગિણી

(D) એકપણ નહીં

જવાબ : (C) રાજતરંગિણી


(14) કવિ ચંદબરદાઈરચિત…………………હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.

(A) પૃથ્વીરાજરાસો

(B) પ્રતાપરાજરાસો

(C) ચંદ્રાયનરાસો

(D) એકપણ નહીં

જવાબ : (A) પૃથ્વીરાજરાસો


(15) મુલ્લા દાઉદનો ગ્રંથ………………એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

(A) કુમારાયન

(B) ગીતગોવિંદ

(C) ચંદ્રાયન

(D) એકપણ નહીં

જવાબ : (C) ચંદ્રાયન


(16) …………….એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા.

(A) અમીર ખુશરો

(B) હઝરત નિઝામુદ્દીન ઓલિયા

(C) બહાદુરશાહ ઝફર

(D) એકપણ નહીં

જવાબ : (A) અમીર ખુશરો


(17) …………………ની રચનાઓ મુખ્યત્વે સધુંકડી લોકબોલીમાં છે.

(A) નાનક

(B) કબીર

(C) નામદેવ

(D) એકપણ નહીં

જવાબ : (B) કબીર


(18) તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ ‘રામચરિતમાનસ’………………..ભાષામાં લખ્યો હતો.

(A) અવધિ

(B) ભોજપુરી

(C) હિન્દી

(D) ગુજરાતી

જવાબ : (A) અવધિ


(19) બંગાળમાં સંત ....………થી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી.

(A) કૃતિવાસ

(B) નામદેવ

(C) ચૈતન્ય

(D) એકપણ નહીં

જવાબ : (C) ચૈતન્ય


(20) વિજયનગરના મહાન સમ્રાટ…………………તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા.

(A) કૃષ્ણદેવરાય

(B) રામરાય

(C) બુક્કારાય

(D) એકપણ નહીં

જવાબ : (A) કૃષ્ણદેવરાય


(21) ………………એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે.

(A) આયને-અકબરી

(B) હુમાયુનામા

(C) અકબરનામા

(D) એકપણ નહીં

જવાબ : (A) આયને-અકબરી


(22) મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના……………..ભાષાના જન્મની છે.

(A) હિંદી

(B) ઉર્દૂ

(C) અવધિ

(D) એકપણ નહીં

જવાબ : (B) ઉર્દૂ


(23) ..............વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.

(A) વલભી

(B) તક્ષશિલા

(C) નાલંદા

(D) એકપણ નહીં

જવાબ : (C) નાલંદા


(24) 7મી સદીમાં ચીની મુસાફર…………………….નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

(A) યુઅન-શ્વાંગે

(B) ફાહિયાને

(C) ઇત્સિંગે

(D) એકપણ નહીં

જવાબ : (A) યુઅન-શ્વાંગે


(25) ...............વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ' તરીકે ઓળખાતો હતો.

(A) વલભી

(B) તક્ષશિલા

(C) નાલંદા

(D) એકપણ નહીં

જવાબ : (C) નાલંદા


(26) ………………..પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.

(A) તક્ષશિલા

(B) નાલંદા

(C) વલભી

(D) એકપણ નહીં

જવાબ : (A) તક્ષશિલા


(27) ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે……………….વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.

(A) વલભી

(B) તક્ષશિલા

(C) નાલંદા

(D) એકપણ નહીં

જવાબ : (B) તક્ષશિલા


(28) ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે………….પર પસંદગી ઉતારી હતી.

(A) અલાહાબાદ

(B) વલભી

(C) વારાણસી

(D) એકપણ નહીં

જવાબ : (C) વારાણસી


(29) સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો………………મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો.

(A) સારનાથ

(B) શારદા

(C) રાજેશ્વરી

(D) એકપણ નહીં

જવાબ : (A) સારનાથ


(30) 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર………………..તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

(A) યુઅન-શ્વાંગે

(B) ફાહિયાને

(C) ઇત્સિંગે

(D) એકપણ નહીં

જવાબ : (B) ફાહિયાને


(31) …………….વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું.

(A) વલભી

(B) વારાણસી

(C) તક્ષશિલા

(D) એકપણ નહીં

જવાબ : (A) વલભી


(32) દૂરદૂરના ગંગા-યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ………………..માં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.

(A) નાલંદા

(B) તક્ષશિલા

(C) વલભી

(D) એકપણ નહીં

જવાબ : (C) વલભી


(33) ચીની પ્રવાસી……………….લખ્યું છે કે, વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી.

(A) ઇત્સિંગે

(B) ફાહિયાને

(C) યુઅન-શ્વાંગે

(D) એકપણ નહીં

જવાબ : (A) ઇત્સિંગે


(34) 7મી સદીમાં ગુજરાતનું.....................વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું.

(A) નાલંદા

(B) વલભી

(C) તક્ષશિલા

(D) એકપણ નહીં

જવાબ : (B) વલભી


(35) ……………..ના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું.

(A) વિદ્વાનો

(B) ભાષા

(C) સ્તુતિઓ

(D) એકપણ નહીં

જવાબ : (B) ભાષા


(36) મહર્ષિ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથની રચના ઈ. સ. પૂર્વે……………..સદીમાં કરી.

(A) ચોથી

(B) ત્રીજી

(C) બીજી

(D) પહેલી

જવાબ : (A) ચોથી


(37) ……………..ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે.

(A) યજુર્વેદ

(B) અથર્વવેદ

(C) સામવેદ

(D) એકપણ નહીં

જવાબ : (C) સામવેદ


(38) આર્યો તેમના જીવનનો અંતિમ સમય………………….માં જઈને ગાળતા.

(A) આશ્રમ

(B) અરણ્ય

(C) મંદિરો

(D) એકપણ નહીં

જવાબ : (B) અરણ્ય


(39) …………………માં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે.

(A) રામાયણ

(B) મહાભારત

(C) શ્રીમદ્ભગવદ્ગીતા

(D) એકપણ નહીં

જવાબ : (A) રામાયણ


(40) …………….વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.

(A) બાણભટ્ટ

(B) ભવભૂતિ

(C) કાલિદાસ

(D) એકપણ નહીં

જવાબ : (C) કાલિદાસ


(41) ‘કાદમ્બરી’ની રચના……………કરી છે.

(A) ભવભૂતિએ

(B) ભારવિએ

(C) બાણભટ્ટે

(D) એકપણ નહીં

જવાબ : (C) બાણભટ્ટે


(42) ‘ઉત્તરરામચરિત'ની રચના……………..કરી છે.

(A) બાણભટ્ટ

(B) ભવભૂતિએ

(C) કાલિદાસે

(D) એકપણ નહીં

જવાબ : (B) ભવભૂતિએ


(43) ‘કિરાતાર્જુનિયમ્'ની રચના……………..કરી છે.

(A) ભારવિએ

(B) વિશાખાદત્તે

(C) શૂદ્રકે

(D) એકપણ નહીં

જવાબ : (A) ભારવિએ


(44) ‘મુદ્રારાક્ષસ’ની રચના……………….કરી છે.

(A) વિશાખાદત્તે

(B) દંડીએ

(C) શૂદ્રકે

(D) એકપણ નહીં

જવાબ : (A) વિશાખાદત્તે


(45) ‘મૃચ્છકટિકમ્’ની રચના……………………કરી છે.

(A) દંડીએ

(B) ભારવિએ

(C) શૂદ્રકે

(D) એકપણ નહીં

જવાબ : (C) શૂદ્રકે


(46) ‘દશકુમારચરિત’ની રચના …………… કરી છે.

(A) ભવભૂતિએ

(B) દંડીએ

(C) ભારવિએ

(D) એકપણ નહીં

જવાબ : (B) દંડીએ


(47) ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં…………………ભાષા સાહિત્યની ભાષા બની રહી.

(A) હિંદી

(B) ફારસી

(C) સંસ્કૃત

(D) એકપણ નહીં

જવાબ : (C) સંસ્કૃત


(48) કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક…………………સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.

(A) કન્નડ

(B) તેલુગુ

(C) તમિલ

(D) એકપણ નહીં

જવાબ : (A) કન્નડ


(49) ……………….ભાષા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવે છે.

(A) મરાઠી

(B) રાજસ્થાની

(C) ફારસી

(D) એકપણ નહીં

જવાબ : (B) રાજસ્થાની


(50) મુલ્લા દાઉદનો ‘ચંદ્રાયન’ ગ્રંથ……………ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

(A) ફારસી

(B) હિન્દી

(C) અવધિ

(D) એકપણ નહીં

જવાબ : (C) અવધિ


(51) ………………ભાષા દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.

(A) ઉર્દૂ

(B) ફારસી

(C) હિન્દી

(D) એકપણ નહીં

જવાબ : (B) ફારસી


(52) ……………..પોતાનાં પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એનાં જ્ઞાન-વિજ્ઞાનનાં પુષ્કળ વખાણ કર્યાં છે.

(A) અમીર ખુશરોએ

(B) તુલસીદાસે

(C) ઝીયાઉદ્દીન બરનીએ

(D) એકપણ નહીં

જવાબ : (A) અમીર ખુશરોએ


(53) બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન…………..વિદ્યાપીઠ આવેલી છે.

(A) વલભી

(B) તક્ષશિલા

(C) નાલંદા

(D) એકપણ નહીં

જવાબ : (C) નાલંદા


(54) ................વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.

(A) નાલંદા

(B) વલભી

(C) તક્ષશિલા

(D) એકપણ નહીં

જવાબ : (C) તક્ષશિલા


(55) ‘શ્રીમદ્ભગવદ્ગીતા’માં મોક્ષપ્રાપ્તિના આ ત્રણ માર્ગોમાંથી…………….માર્ગનું વિવેચન નથી.

(A) કર્મ

(B) ભક્તિ

(C) યોગ

(D) એકપણ નહીં

જવાબ : (C) યોગ


(56) મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?

(A) અષ્ટાધ્યાયી

(B) પૃથ્વીરાજરાસો

(C) વિક્રમાંકદેવચરિત

(D) ચંદ્રાયન

જવાબ : (A) અષ્ટાધ્યાયી


(57) સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે?

(A) વાલ્મીકિ

(B) સંત તુલસીદાસ

(C) મહાકવિ કાલિદાસ

(D) મહાકવિ ભાસ

જવાબ : (C) મહાકવિ કાલિદાસ


(58) કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં?

(A) તક્ષશિલા

(B) વારાણસી (કાશી)

(C) નાલંદા

(D) વલભી

જવાબ : (D) વલભી


(59) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?

(A) તમિલ

(B) તેલુગુ

(C) કન્નડ

(D) મલયાલમ

જવાબ : (A) તમિલ


(60) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ………………..છે.

(A) ઋગ્વેદ

(B) યજુર્વેદ

(C) સામવેદ

(D) અથર્વવેદ

જવાબ : (A) ઋગ્વેદ


(61) વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?

(A) ઉત્તરરામચરિત

(B) મેઘદૂત

(C) મહાભારત

(D) રામાયણ

જવાબ : (C) મહાભારત


(62) મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો – જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે?

(A) રામાયણમાં

(B) શ્રીમદ્ભગવદ્ગીતામાં

(C) રામચરિતમાનસમાં

(D) ઉત્તરરામચરિતમાં

જવાબ : (B) શ્રીમદ્ભગવદ્ગીતામાં


(63) પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે?

(A) અષ્ટાધ્યાયી

(B) મિલિન્દ પન્હો

(C) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર

(D) મિનેન્ડરનું અર્થશાસ્ત્ર

જવાબ : (C) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર


(64) બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?

(A) પાલિ

(B) હિંદી

(C) બ્રાહ્મી

(D) ગુજરાતી

જવાબ : (A) પાલિ


(65) કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?

(A) પૃથ્વીરાજરાસો

(B) વિક્રમાંકદેવચરિત

(C) કવિરાજ માર્ગ

(D) ચંદ્રાયન

જવાબ : (A) પૃથ્વીરાજરાસો


(66) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?

(A) નરસિંહ મહેતાએ

(B) દલપતરામે

(C) પ્રેમાનંદે

(D) દયારામે

જવાબ : (A) નરસિંહ મહેતાએ


(67) નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

(A) શૂદ્રક – મૃચ્છકટિકમ્

(B) ભારવિ – કિરાતાર્જુનીયમ્

(C) બાણભટ્ટ – કાદમ્બરી

(D) વિશાખદત્ત – દશકુમારચરિત

જવાબ : (D) વિશાખદત્ત – દશકુમારચરિ


(68) નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

(A) કવિ રત્ના – અજીતનાથ પુરાણ

(B) કવિ પોન્ના – શાંતિપુરાણ

(C) કવિ પંપા – આદિપુરાણ

(D) કવિ કમ્બલ – મહાભારતમ્

જવાબ : (D) કવિ કમ્બલ – મહાભારતમ્


(69) શૂદ્રક : મૃચ્છકટિકમ્ | દંડી : ………………..

(A) દશકુમારચરિત

(B) મુદ્રારાક્ષસ

(C) કાદમ્બરી

(D) કિરાતાર્જુનીયમ્

જવાબ : (A) દશકુમારચરિત


(70) કથાસરિતસાગર : સોમદેવ | રાજતરંગિણી :…………………..

(A) જયદેવ

(B) ભારવિ

(C) કલ્હણ

(D) ભવભૂતિ

જવાબ : (C) કલ્હણ


(71) ગુજરાતી સાહિત્યના લેખકોને તેમની કૃતિઓ સાથે જોડી વિકલ્પ પસંદ કરો:

1. મીરાંબાઈ

a. ગરબી

2. દયારામ

b. પદો

૩. અખો

c. આખ્યાન

4. પ્રેમાનંદ

d. છપ્પા

(A) (1 – d), (2 – c), (3 - b), (4 - a)

(B) (1 – c), (2 – d), (3 - a), (4 - b)

(C) (1 – b), (2 - a), (3 – c), (4 − d)

(D) (1 - b), (2 - a), (3 - d), (4 − c)

જવાબ : (D) (1 - b), (2 - a), (3 - d), (4 − c)


(72) મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો.

(A) અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં

(B) હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં

(C) હુમાયુ, જહાંગીર, શાહજહાં, અકબર

(D) હુમાયુ, શાહજહાં, અકબર, જહાંગીર.

જવાબ : (B) હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં


(73) ભારતમાં ભાષાઓના ક્રમશઃ વિકાસને લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભાષાઓને લગતાં નીચે મુજબનાં જોડકાંમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

અ’

બ’

1. પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા

a. ફારસી

2. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા

b. સંસ્કૃત

3. દ્રવિડકુળની સૌથી પ્રાચીન ભાષા

c. પાલિ

4. મુઘલકાળ દરમિયાન વિકસેલી ભાષા

d. તમિલ

 

e. અસમી


(A) (1 - b), (2 - c), (3 - d), (4 - a)

(B) (1 – b), (2 – d), (3 – c), (4 - a)

(C) (1 - e), (2 – c), (3 – d), (4 - a)

(D) (1 – e), (2 -b), (3 - d), (4 – c)

જવાબ : (A) (1 - b), (2 - c), (3 - d), (4 - a)


(74) ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં?

(A) વલભીમાં

(B) વારાણસી(કાશી)માં

(C) નાલંદામાં

(D) તક્ષશિલામાં

જવાબ : (C) નાલંદામાં


(75) 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી?

(A) હાન-શુઈએ

(B) યુઅન-શ્વાંગે

(C) ઇત્સિંગે

(D) ફાહિયાને

જવાબ : (D) ફાહિયાને


(76) નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ


(A) તક્ષશિલા વિદ્યાપીઠનું

(B) વારાણસી (કાશી) વિદ્યાપીઠનું

(C) નાલંદા વિદ્યાપીઠનું

(D) વલભી વિદ્યાપીઠનું

જવાબ : (C) નાલંદા વિદ્યાપીઠનું