ધોરણ : 10
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 14. પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર
MCQ : 65
(1) વ્યાપાર પ્રવૃત્તિ………….પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે.
(A) પહેલા
(B) બીજા
(C) ત્રીજા
(D) એકપણ નહીં
જવાબ : (C) ત્રીજા
(2) …………..લોકો સારા પર્વતારોહકો છે.
(A) ભોટિયા
(B) નેપાળી
(C) ભૈયાજી
(D) એકપણ નહીં
જવાબ : (A) ભોટિયા
(3) રણપ્રદેશમાં.................શ્રેષ્ઠ બોજવાહક છે.
(A) ખચ્ચર
(B) ઊંટ
(C) હાથી
(D) એકપણ નહીં
જવાબ : (B) ઊંટ
(4) ભારતની સડકપ્રણાલી વિશ્વની..............નંબરની સડક પ્રણાલી છે.
(A) ચોથા
(B) ત્રીજા
(C) બીજા
(D) એકપણ નહીં
જવાબ : (B) ત્રીજા
(5) રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી..............ની છે.
(A) કેન્દ્ર સરકાર
(B) જિલ્લા પંચાયત
(C) રાજ્ય સરકાર
(D) એકપણ નહીં
જવાબ : (A) કેન્દ્ર સરકાર
(6) ………….નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.
(A) 3
(B) 8
(C) 44
(D) 7
જવાબ : (C) 44
(7) રાષ્ટ્રીય ધોરી માર્ગ – 44………….થી કન્યાકુમારી સુધી જાય છે.
(A) દિલ્લી
(B) શ્રીનગર
(C) અમૃતસર
(D) એકપણ નહીં
જવાબ : (B) શ્રીનગર
(8) ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણી……………..દ્વારા કરવામાં આવે છે.
(A) જિલ્લા પંચાયતો
(B) તાલુકા પંચાયતો
(C) ગ્રામપંચાયતો
(D) એકપણ નહીં
જવાબ : (C) ગ્રામપંચાયતો
(9) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ……………..પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
(A) શહેરી
(B) ગ્રામીણ
(C) શહેરી અને ગ્રામીણ
(D) એકપણ નહીં
જવાબ : (B) ગ્રામીણ
(10) સરહદ માર્ગ સંસ્થાન(Border Road Organization)ની સ્થાપના ઈ. સ.....................માં કરવામાં આવી.
(A) 1950
(В) 1955
(C) 1960
(D) 1965
જવાબ : (C) 1960
(11) ………….દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવાં કાર્યો કરે છે.
(A) સરહદ માર્ગ સંસ્થાન
(B) દુર્ગમ ક્ષેત્ર સંસ્થાન
(C) સરહદ પરિવહન સંસ્થાન
(D) એકપણ નહીં
જવાબ : (C) સરહદ પરિવહન સંસ્થાન
(12) ..............ને દ્રુતગતિ માર્ગ પણ કહે છે.
(A) રાષ્ટ્રીય ધોરી માર્ગ
(B) એકસપ્રેસ હાઈવે
(C) સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ
(D) એકપણ નહીં
જવાબ : (B) એકસપ્રેસ હાઈવે
(13) ગુજરાતમાં અમદાવાદથી……………….સુધી એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે.
(A) મુંબઈ
(B) વડોદરા
(C) પાલનપુર
(D) એકપણ નહીં
જવાબ : (B) વડોદરા
(14) રેલમાર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………….છે.
(A) ત્રીજું
(B) પ્રથમ
(C) બીજું
(D) એકપણ નહીં
જવાબ : (C) બીજું
(15) રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન……………….છે.
(A) પહેલું
(B) બીજું
(C) ત્રીજું
(D) એકપણ નહીં
જવાબ : (A) પહેલું
(16) ભારતમાં સૌપ્રથમ રેલવે ઈ. સ. 1853માં મુંબઈથી……………….વચ્ચે શરૂ થઈ.
(A) સોલાપુર
(B) થાણા
(C) નાગપુર
(D) એકપણ નહીં
જવાબ : (B) થાણા
(17) ………………..થી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે.
(A) દિબ્રુગઢ
(B) કોલકાતા
(C) ગંગટોક
(D) એકપણ નહીં
જવાબ : (A) દિબ્રુગઢ
(18) દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ……………. એક્સપ્રેસ તરીકે જાણીતો છે.
(A) વિવેક
(B) અશોક
(C) મહાત્મા
(D) એકપણ નહીં
જવાબ : (A) વિવેક
(19) ભારતને લગભગ………………કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે.
(A) 6050
(Β) 6518
(C) 7516
(D) એકપણ નહીં
જવાબ : (C) 7516
(20) ભારતના દરિયાકિનારા પર.................મુખ્ય બંદરો આવેલાં છે.
(A) 18
(B) 13
(C) 20
(D) 19
જવાબ : (B) 13
(21) ગુજરાતને આશરે……………..કિમી જેટલો દરિયાકિનારો મળ્યો છે.
(A) 1600
(B) 2010
(С) 1480
(D) 1800
જવાબ : (A) 1600
(22) ગુજરાતમાં……………….સૌથી મોટું બંદર છે.
(A) ભાવનગર
(B) કંડલા
(C) વેરાવળ
(D) એકપણ નહીં
જવાબ : (B) કંડલા
(23) ગુજરાતમાં……………….ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું એકમાત્ર બંદર છે.
(A) વેરાવળ
(B) ભાવનગર
(C) કંડલા
(D) એકપણ નહીં
જવાબ : (B) ભાવનગર
(24) ગુજરાતમાં……………..બારે માસ ખુલ્લું રહેતું બંદર છે.
(A) પોરબંદર
(B) ઓખા
(C) પોશિત્રા
(D) એકપણ નહીં
જવાબ : (A) પોરબંદર
(25) ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે…………..થી નૈની સુધી થઈ હતી.
(A) લખનઉ
(B) પટના
(C) અલાહાબાદ
(D) એકપણ નહીં
જવાબ : (C) અલાહાબાદ
(26) ભારતમાં................જેટલાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
(A) 21
(B) 18
(C) 15
(D) 20
જવાબ : (C) 15
(27) …………….હેલિકૉપ્ટર નામની સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકૉપ્ટર સેવા આપે છે.
(A) વાયુહંસ
(B) પવનહંસ
(C) કમલહંસ
(D) એકપણ નહીં
જવાબ : (B) પવનહંસ
(28) ભારતમાં આશરે…………….જેટલા રજ્જુ માર્ગો છે.
(A) 100
(B) 200
(C) 300
(D) 400
જવાબ : (A) 100
(29) ઈ-મેલ, ઈ-કૉમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગેરે…………….ને કારણે ઝડપી બન્યાં છે.
(A) ઈન્ટરનેટ
(B) ટેલિફોન
(C) હવાઈ સેવા
(D) એકપણ નહીં
જવાબ : (A) ઈન્ટરનેટ
(30) ……………….દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે.
(A) પ્રચારભારતી
(B) આકાશભારતી
(C) પ્રસારભારતી
(D) એકપણ નહીં
જવાબ : (C) પ્રસારભારતી
(31) ………….ની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદી, માર્ગ બનાવી શ્રેષ્ઠ ઈજનેરી કૌશલનું દષ્ટાંત પૂરું પાડયું.
(A) કોંકણ
(B) વિવેક
(C) હિમસાગર
(D) એકપણ નહીં
જવાબ : (A) કોંકણ
(32) ભારતમાં આજે આકાશવાણીનાં…………..જેટલાં સ્ટેશનો છે.
(A) 415
(Β) 450
(C) 460
(D) 471
જવાબ : (A) 415
(33) આકાશવાણી દ્વારા…………ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે.
(A) 23
(Β) 28
(C) 18
(D) 25
જવાબ : (A) 23
(34) વ્યાપારતુલાને હકારાત્મક બનાવવા સરકારે…………..પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
(A) સ્ટાર્ટ અપ ઇન્ડિયા
(B) મેક ઇન ઇન્ડિયા
(C) ડિજિટલ ઇન્ડિયા
(D) એકપણ નહીં
જવાબ : (B) મેક ઇન ઇન્ડિયા
(35) એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને………………કહે છે.
(A) સ્થળાંતર
(B) પરિવહન
(C) વાહનવ્યવહાર
(D) એકપણ નહીં
જવાબ : (B) પરિવહન
(36) ભારતે અવકાશી સંશોધનક્ષેત્રે…………..તરતા મૂક્યા છે.
(A) ઉપગ્રહો
(B) અવકાશયાનો
(C) નવ ગ્રહો
(D) એકપણ નહીં
જવાબ : (A) ઉપગ્રહો
(37) માલસામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે……….
(A) રેલમાર્ગ
(B) હવાઈ માર્ગ
(C) સડકમાર્ગ
(D) એકપણ નહીં
જવાબ : (C) સડકમાર્ગ
(38) અમદાવાદથી……………….મેટ્રોરેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે.
(A) રાજકોટ
(B) વડોદરા
(C) ગાંધીનગર
(D) એકપણ નહીં
જવાબ : (C) ગાંધીનગર
(39) ગુજરાતમાં…………….સૌથી મોટું રેલવે સ્ટેશન છે.
(A) અમદાવાદ
(B) જામનગર
(C) ભાવનગર
(D) એકપણ નહીં
જવાબ : (A) અમદાવાદ
(40) ગુજરાતમાં જૂનાગઢમાં………….ખાતે પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ થઈ ગઈ છે.
(A) પાવાગઢ
(B) ગિરનાર
(C) પાલિતાણા
(D) એકપણ નહીં
જવાબ : (B) ગિરનાર
(41) પંજાબને દરિયાકિનારો મળ્યો નથી તેથી તે……………ગુજરાતમાંથી આયાત કરે છે.
(A) માછલાં
(B) મોતી
(C) મીઠું
(D) એકપણ નહીં
જવાબ : (C) મીઠું
(42) અહીં દર્શાવેલ પરિવહનનું પ્રમાણ દર્શાવતા વર્તુળનો આલેખ જોતાં હવાઈ માર્ગ………% છે.
(Α) 12%
(Β) 6%
(C) 13%
(D) 10%
જવાબ : (Β) 6%
(43) ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી?
(A) સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના
(B) સમ્રાટ અશોક અને સમુદ્રગુપ્ત મૌર્યના
(C) ચંદ્રગુપ્ત મૌર્ય અને સમુદ્રગુપ્ત મૌર્યના
(D) સ્કંદગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના
જવાબ : (A) સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના
(44) ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
(A) 3 નંબરનો
(B) 8 નંબરનો
(C) 44 નંબરનો
(D) 15 નંબરનો
જવાબ : (C) 44 નંબરનો
(45) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
(A) ગુવાહાટીથી કન્યાકુમારી
(B) જમ્મુથી કન્યાકુમારી
(C) કોલકાતાથી ચેન્નઈ
(D) શ્રીનગરથી કન્યાકુમારી
જવાબ : (D) શ્રીનગરથી કન્યાકુમારી
(46) સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી?
(A) અમદાવાદ
(B) દિલ્લી
(C) મુંબઈ
(D) ચેન્નઈ
જવાબ : (A) અમદાવાદ
(47) ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે?
(A) ઈ. સ. 2009માં
(B) ઈ. સ. 2011માં
(C) ઈ. સ. 2014માં
(D) ઈ. સ. 2015માં
જવાબ : (B) ઈ. સ. 2011માં
(48) જનસંખ્યાની દૃષ્ટિએ નીચેનાં પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની સંખ્યા વધારે છે?
(A) ગોવા
(B) મધ્ય પ્રદેશ
(C) રાજસ્થાન
(D) ગુજરાત
જવાબ : (A) ગોવા
(49) બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?
(A) રાષ્ટ્રીય ધોરી માર્ગ
(B) રાજ્ય ધોરી માર્ગ
(C) ગ્રામીણ માર્ગ
(D) એક્સપ્રેસ ધોરી માર્ગ
જવાબ : (A) રાષ્ટ્રીય ધોરી માર્ગ
(50) બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?
(A) ગ્રામીણ માર્ગ
(B) જિલ્લા માર્ગ
(C) રાજ્ય ધોરી માર્ગ
(D) સરહદી માર્ગ
જવાબ : (C) રાજ્ય ધોરી માર્ગ
(51) બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?
(A) એક્સપ્રેસ ધોરી માર્ગ
(B) સરહદી માર્ગ
(C) જિલ્લા માર્ગ
(D) ગ્રામીણ માર્ગ
જવાબ : (D) ગ્રામીણ માર્ગ
(52) બાજુમાં દર્શાવેલ નિશાની કઈ સડક યોજનાની છે?
(A) સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની
(B) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની
(C) એક્સપ્રેસ ધોરી માર્ગ યોજનાની
(D) રાષ્ટ્રીય ગ્રામ સડક યોજનાની
જવાબ : (B) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની
(53) ગુજરાતમાં ક્યાં શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરી માર્ગ આવેલો છે?
(A) અમદાવાદ – વડોદરા
(B) અમદાવાદ – પાલનપુર
(C) વડોદરા - સુરત
(D) અમદાવાદ – સુરત
જવાબ : (A) અમદાવાદ – વડોદરા
(54) ભારતનો પ્રથમ રેલમાર્ગ ક્યાં સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો?
(A) દિલ્લી અને આગરા
(B) કોલકાતા અને પોર્ટ ડાયમંડ
(C) મુંબઈ અને થાણા
(D) ચેન્નઈ અને કાંચીપુરમ્
જવાબ : (C) મુંબઈ અને થાણા
(55) કયા રેલમાર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દૃષ્ટાંત પૂરું પાડયું છે?
(A) ઉધમપુર રેલમાર્ગે
(B) દિબ્રુગઢ રેલમાર્ગે
(C) કોંકણ રેલમાર્ગે
(D) દાર્જિલિંગ રેલમાર્ગે
જવાબ : (C) કોંકણ રેલમાર્ગે
(56) ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે?
(A) રાજકોટથી ગુવાહાટી
(B) દિલ્લીથી કન્યાકુમારી
(C) દિબ્રુગઢથી કન્યાકુમારી
(D) મુંબઈથી કોલકાતા
જવાબ : (C) દિબ્રુગઢથી કન્યાકુમારી
(57) વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે?
(A) જમ્મુથી કોલકાતા
(B) દિબ્રુગઢથી કન્યાકુમારી
(C) કોલકાતાથી ચેન્નઈ
(D) ગુવાહાટીથી કન્યાકુમારી
જવાબ : (B) દિબ્રુગઢથી કન્યાકુમારી
(58) દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલો છે?
(A) આનૈમલાઈ
(B) નીલગિરિ
(C) કાર્ડેમમ
(D) મહાદેવ
જવાબ : (A) આનૈમલાઈ
(59) ગુજરાતમાં નીચેનાં પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલો છે?
(A) વણાકબોરી
(B) આહવા
(C) સાપુતારા
(D) છોટા ઉદેપુર
જવાબ : (C) સાપુતારા
(60) રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે?
(A) બ્રહ્મપુત્ર
(B) ગંગા
(C) ગોદાવરી
(D) કૃષ્ણા
જવાબ : (A) બ્રહ્મપુત્ર
(61) રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે?
(A) કૃષ્ણા
(B) કાવેરી
(C) ગંગા
(D) બ્રહ્મપુત્ર
જવાબ : (C) ગંગા
(62) ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયાં સ્થળો વચ્ચે આવેલો છે?
(A) ધૂબ્રી – સાદિયા
(B) હલ્દિયા – અલાહાબાદ
(C) ગોએનખલી – તાલચેર
(D) કાકીનાડા– પુડુચેરી
જવાબ : (B) હલ્દિયા – અલાહાબાદ
(63) બ્રહ્મપુત્ર નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 ક્યાં સ્થળો વચ્ચે આવેલો છે?
(A) ગોએનખલી – તાલચેર
(B) હલ્દિયા – અલાહાબાદ
(C) ધૂબ્રી – સાદિયા
(D) કાકીનાડા - પુડુચેરી
જવાબ : (C) ધૂબ્રી – સાદિયા
(64) કયા કારણે ઈ-મેઈલ, ઈ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઝડપી બન્યાં છે?
(A) કમ્પ્યૂટર
(B) ઇન્ટરનેટ
(C) ટેલિફોન
(D) સ્માર્ટ ફોન
જવાબ : (B) ઇન્ટરનેટ
(65) એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે?
(A) નેપાળી
(B) ભોટિયા
(C) ભૈયાજી
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (B) ભોટિયા