ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 18. સંચાર-માધ્યમ અને જાહેરાત
MCQ : 40
(1) માનવી કેવું વિચારશીલ પ્રાણી છે?
(A) આધ્યાત્મિક
(B) નૈતિક
(C) સામાજિક
(D) ધાર્મિક
જવાબ : (C) સામાજિક
(2) માનવીને કઈ સૌથી મહત્ત્વની ભેટ મળી છે?
(A) જ્ઞાનની
(B) બુદ્ધિની
(C) સુખની
(D) પુરુષાર્થની
જવાબ : (B) બુદ્ધિની
(3) પહેલાંના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી?
(A) મોટે અવાજે રડવું
(B) ઢોલ વગાડવું
(C) આગ કે ધુમાડાનો સંકેત
(D) ઝંડો લહરાવવો
જવાબ : (A) મોટે અવાજે રડવું
(4) સંચાર-માધ્યમોને કારણે સમયની દૃષ્ટિએ દુનિયા કેવી થઈ ગઈ છે?
(A) પહોળી
(B) સાંકડી
(C) મોટી
(D) નાની
જવાબ : (D) નાની
(5) આધુનિક સંચારતંત્રે પૂરા વિશ્વને શામાં ફેરવી નાખ્યું છે?
(A) વૈશ્વિક શહેરમાં
(B) વૈશ્વિક ગ્રામમાં
(C) વૈશ્વિક કુટુંબમાં
(D) વૈશ્વિક દેશમાં
જવાબ : (B) વૈશ્વિક ગ્રામમાં
(6) લેખિત સંદેશાઓમાં સૌપ્રથમ ક્યા લેખિત સંદેશાનો જન્મ થયો?
(A) ટેલિગ્રામ(તાર)નો
(B) પુસ્તકોનો
(C) વર્તમાનપત્રોનો
(D) ટપાલ-પ્રથાનો
જવાબ : (D) ટપાલ-પ્રથાનો
(7) ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ક્યારે થઈ હતી?
(A) ઈ. સ. 1854માં
(B) ઈ. સ. 1855માં
(C) ઈ. સ. 1858માં
(D) ઈ. સ. 1872માં
જવાબ : (A) ઈ. સ. 1854માં
(8) આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ?
(A) પાર્સલ દ્વારા
(B) રજિસ્ટર એડી દ્વારા
(C) ટપાલી દ્વારા
(D) મનીઑર્ડર દ્વારા
જવાબ : (B) રજિસ્ટર એડી દ્વારા
(9) આપણે ટપાલમાં ચીજવસ્તુઓ શાના દ્વારા મોકલાવી શકીએ છીએ?
(A) ટપાલી દ્વારા
(B) રજિસ્ટર એડી દ્વારા
(C) પાર્સલ દ્વારા
(D) મનીઑર્ડર દ્વારા
જવાબ : (C) પાર્સલ દ્વારા
(10) ટેલિગ્રામ(તાર)ની શોધ ક્યારે થઈ હતી?
(A) ઈ. સ. 1880માં
(B) ઈ. સ. 1870માં
(C) ઈ. સ. 1860માં
(D) ઈ. સ. 1850માં
જવાબ : (D) ઈ. સ. 1850માં
(11) ભારતમાં ટેલિગ્રામ(તાર)ની સેવા કયાં સ્થળો વચ્ચે શરૂ થઈ હતી?
(A) કોલકાતા અને દિલ્લી
(B) મુંબઈ અને નાગપુર
(C) કોલકાતા અને ડાયમંડ હાર્બર
(D) અમદાવાદ અને વડોદરા
જવાબ : (C) કોલકાતા અને ડાયમંડ હાર્બર
(12) ભારતમાં ટેલિગ્રામ(તાર)ની સુવિધા ક્યારથી બંધ કરવામાં આવી છે?
(A) 13 જુલાઈ, 2003થી
(B) 10 ઑગસ્ટ, 2005થી
(C) 13 જુલાઈ, 2001થી
(D) 1 જાન્યુઆરી, 2002થી
જવાબ : (A) 13 જુલાઈ, 2003થી
(13) કયું સંચાર-માધ્યમ જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે?
(A) રેડિયો
(B) વર્તમાનપત્રો
(C) સિનેમા
(D) પુસ્તકો
જવાબ : (D) પુસ્તકો
(14) વર્તમાન સમયમાં પુસ્તકોની બાબતમાં શાનું ચલણ વધ્યું છે?
(A) વર્તમાનપત્રોનું
(B) રેડિયોનું
(C) કૃત્રિમ ઉપગ્રહનું
(D) ઇ-બુકનું
જવાબ : (D) ઇ-બુકનું
(15) ક્યું સંચાર-માધ્યમ દુનિયામાં બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયાં વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે?
(A) ટેલિવિઝન
(B) પુસ્તકો
(C) વર્તમાનપત્રો
(D) રેડિયો
જવાબ : (C) વર્તમાનપત્રો
(16) નીચેના પૈકી કયું સંચાર-માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ છે?
(A) રેડિયો
(B) ટેલિવિઝન
(C) સિનેમા
(D) મોબાઇલ ફોન
જવાબ : (A) રેડિયો
(17) નીચેના પૈકી કર્યું સંચાર-માધ્યમ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે?
(A) કૃત્રિમ ઉપગ્રહ
(B) સિનેમા
(C) રેડિયો
(D) વર્તમાનપત્રો
જવાબ : (B) સિનેમા
(18) દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો ક્યા દેશમાં બને છે?
(A) યૂ.એસ.એ.માં
(B) ફ્રાન્સમાં
(C) ભારતમાં
(D) ચીનમાં
જવાબ : (C) ભારતમાં
(19) આજનું સૌથી લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચાર-માધ્યમ કયું છે?
(A) ટેલિવિઝન
(B) સિનેમા
(C) રેડિયો
(D) વર્તમાનપત્રો
જવાબ : (A) ટેલિવિઝન
(20) કયા સંચાર માધ્યમ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે?
(A) રેડિયો દ્વારા
(B) કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
(C) મોબાઇલ ફોન દ્વારા
(D) ટેલિવિઝન દ્વારા
જવાબ : (C) મોબાઇલ ફોન દ્વારા
(21) વર્તમાન સમયમાં અનેકવિધ સુવિધાઓ માટે કયું સંચાર-માધ્યમ જરૂરી ઉપકરણ બની ગયું છે?
(A) કૃત્રિમ ઉપગ્રહ
(B) સિનેમા
(C) ટેલિવિઝન
(D) મોબાઇલ ફોન
જવાબ : (D) મોબાઇલ ફોન
(22) કયા સંચાર-માધ્યમ દ્વારા પૃથ્વીના પેટાળમાં છુપાયેલાં પાણી અને ખનીજોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે?
(A) કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
(B) ટેલિવિઝન દ્વારા
(C) મોબાઇલ ફોન દ્વારા
(D) સિનેમા દ્વારા
જવાબ : (A) કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
(23) કયા સંચાર-માધ્યમ દ્વારા આપણે આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ?
(A) મોબાઇલ ફોન દ્વારા
(B) કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
(C) વર્તમાનપત્રો દ્વારા
(D) ટેલિવિઝન દ્વારા
જવાબ : (B) કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
(24) કૃત્રિમ ઉપગ્રહ સંચાર-માધ્યમ દેશના કયા ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે?
(A) ગ્રામીણ વિકાસ
(B) વાણિજ્ય અને ઉદ્યોગ
(C) સંરક્ષણ
(D) કૃષિ અને ખેડૂત કલ્યાણ
જવાબ : (C) સંરક્ષણ
(25) વૉકીટૉકીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કોણ કરે છે?
(A) વેપારીઓ
(B) શિક્ષકો
(C) વકીલો
(D) પોલીસો
જવાબ : (D) પોલીસો
(26) કયા સંચાર-માધ્યમ દ્વારા કૃષિક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે?
(A) રેડિયો
(B) વર્તમાનપત્ર
(C) ટેલિવિઝન
(D) કૃત્રિમ ઉપગ્રહ
જવાબ : (D) કૃત્રિમ ઉપગ્રહ
(27) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોનનો ઉપયોગ શાના પૂરતો જ કરવો જોઈએ?
(A) હોમવર્ક
(B) સંદેશાની આપ-લે
(C) વાતચીત
(D) ભજનો સાંભળવા
જવાબ : (C) વાતચીત
(28) મોબાઇલ ફોનના પ્રકાશને કારણે કોને નુકસાન થાય છે?
(A) મગજને
(B) ઊંઘને
(C) આંખોને
(D) હાથને
જવાબ : (C) આંખોને
(29) કયા કારણે વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે?
(A) જૂના માલને વેચવા માટે
(B) વધારે નફો કરવા માટે
(C) બજારમાં પ્રવર્તતી મંદીને કારણે
(D) વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે
જવાબ : (D) વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે
(30) સરકાર કોના દ્વારા લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે?
(A) જાહેરાતો દ્વારા
(B) કર્મચારીઓ દ્વારા
(C) મંત્રીઓ દ્વારા
(D) ધારાસભ્યો દ્વારા
જવાબ : (A) જાહેરાતો દ્વારા
(31) શરૂઆતનાં કયાં સાધનો જ સંચારનાં માધ્યમો હતાં?
(A) ઘરવખરીનાં
(B) કુદરતી
(C) આધુનિક
(D) પરિવહનનાં
જવાબ : (D) પરિવહનનાં
(32) કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે?
(A) તારની
(B) ટપાલની
(C) પાર્સલની
(D) ઇન્ટરનેટની
જવાબ : (A) તારની
(33) ટેલિગ્રામ (તાર) કોડની શોધ કોણે કરી હતી?
(A) આઇઝેક ન્યૂટને
(B) માર્કોનીએ
(C) સેમ્યુઅલ મોર્સે
(D) માઇકલ ફરાડેએ
જવાબ : (C) સેમ્યુઅલ મોર્સે
(34) આજનું ભવિષ્ય જાણવા માટે આપણે ક્યા સંચાર-માધ્યમનો ઉપયોગ કરીશું?
(A) પુસ્તકનો
(B) વર્તમાનપત્રનો
(C) ટપાલસેવાનો
(D) કૃત્રિમ ઉપગ્રહનો
જવાબ : (B) વર્તમાનપત્રનો
(35) રેડિયોની શોધ કોણે કરી હતી?
(A) જ્હૉન લોગી બાયડૅ
(B) ગેલિલિયોએ
(C) માર્કોનીએ
(D) થોમસ આલ્વા એડિસને
જવાબ : (C) માર્કોનીએ
(36) ટેલિવિઝનની શોધ કોણે કરી હતી?
(A) માર્કોની
(B) માઇકલ ફેરાડેએ
(C) જ્હૉન લોગી બાયર્ડ
(D) મેન્ડલ જ્યૉર્જ જ્હૉને
જવાબ : (C) જ્હૉન લોગી બાયર્ડ
(37) ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે અંગેના કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રજૂ કરે છે?
(A) ‘નમસ્ત ગુજરાત'
(B) ‘વંદે ગુજરાત'
(C) 'ગુજરાત વિકાસ'
(D) ‘ગુજરાત બોલે છે.’
જવાબ : (B) ‘વંદે ગુજરાત'
(38) કઈ સાલથી રેડિયો પર જાહેરાતની શરૂઆત થઈ?
(A) ઈ. સ. 1920થી
(B) ઈ. સ. 1925થી
(C) ઈ. સ. 1930થી
(D) ઈ. સ. 1942થી
જવાબ : (A) ઈ. સ. 1920થી
(39) ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું?
(A) દિલ્લી ખાતે
(B) મુંબઈ ખાતે
(C) અમદાવાદ ખાતે
(D) ભોપાલ ખાતે
જવાબ : (A) દિલ્લી ખાતે
(40) વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે?
(A) જાહેરાત આપે છે.
(B) ડિસ્કાઉન્ટ આપે છે.
(C) ગિફટ વાઉચર આપે છે.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ