ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 3. પદાર્થોનું અલગીકરણ
MCQ : 35
(1) અનાજમાંથી કાંકરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
(A) વીણવું
(B) નિતારણ
(C) ઉપણવું
(D) બાષ્પીભવન
જવાબ : (A) વીણવું
(2) અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે?
(A) નિતારણ
(B) ગાળણ
(C) બાષ્પીભવન
(D) ઘનીભવન
જવાબ : (C) બાષ્પીભવન
(3) અનાજમાંથી ફોતરાં દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
(A) વીણવું
(B) ઉપણવું
(C) ચાળવું
(D) ગાળવું
જવાબ : (B) ઉપણવું
(4) ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
(A) ગાળવું
(B) ચાળવું
(C) વીણવું
(D) આપેલ તમામ
જવાબ : (B) ચાળવું
(5) એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
(A) ગાળણ
(B) નિતારણ
(C) બાષ્પીભવન
(D) ચાળવું
જવાબ : (B) નિતારણ
(6) ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે?
(A) ચોક
(B) ખાંડ
(C) રેતી
(D) આપેલ તમામ
જવાબ : (B) ખાંડ
(7) પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
(A) બાષ્પીભવન
(B) ઘનીભવન
(C) ગાળણ
(D) આપેલ તમામ
જવાબ : (C) ગાળણ
(8) દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્વતિનો ઉપયોગ છે?
(A) ગાળણ
(B) નિતારણ
(C) બાષ્પીભવન
(D) ઘનીભવન
જવાબ : (C) બાષ્પીભવન
(9) ચા ગાળતી વખતે ચાની ભૂકીને કયા સાધન વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે?
(A) ચાળણી
(B) ગળણી
(C) સૂપડી
(D) આપેલ તમામ
જવાબ : (B) ગળણી
(10) કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળશે?
(A) ગરમ
(B) ઠંડા
(C) ખારા
(D) ખાટા
જવાબ : (A) ગરમ
(11) નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતાં હોય તેવાં બે પ્રવાહીનાં મિશ્રણ કયાં છે?
(A) પાણી અને દૂધ
(B) પાણી અને કેરોસીન
(C) પાણી અને લીંબુનો રસ
(D) પાણી અને છાશ
જવાબ : (B) પાણી અને કેરોસીન
(12) દ્રાવણને ગરમ કરવાથી દ્રાવ્ય પદાર્થ............છે.
(A) વધુ ઓગળે
(B) ઓછું ઓગળે
(C) ઠંડો થાય
(D) તે જ સ્થિતિમાં રહે
જવાબ : (A) વધુ ઓગળે
(13) મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે?
(A) નિક્ષેપન
(B) બાષ્પીભવન
(C) ગાળણ
(D) નિતારણ
જવાબ : (A) નિક્ષેપન
(14) રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા કઈ બે પદ્ધતિ વપરાય છે?
(A) નિક્ષેપન અને નિતારણ
(B) નિતારણ અને બાષ્પીભવન
(C) બાષ્પીભવન અને ઘનીભવન
(D) આપેલ તમામ
જવાબ : (A) નિક્ષેપન અને નિતારણ
(15) તીર્થ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો નીચેનામાંથી શું થશે?
(A) ઘનીભવન થશે
(B) બાષ્પીભવન થશે
(C) દ્રાવ્ય થશે
(D) દ્રાવ્ય નહિ થાય
જવાબ : (D) દ્રાવ્ય નહિ થાય
(16) મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
(A) ગાળણ
(B) નિતારણ
(C) બાષ્પીભવન
(D) ઘનીભવન
જવાબ : (C) બાષ્પીભવન
(17) અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
(A) ગાળણ
(B) ચાળવું
(C) છડવું
(D) ઉપણવું
જવાબ : (A) ગાળણ
(18) ખેડૂતો કઈ પદ્ધતિથી દાણામાંથી હલકાં ફોતરાં દૂર કરે છે?
(A) વીણવું
(B) ચાળવું
(C) છડવું
(D) ઉપણવું
જવાબ : (D) ઉપણવું
(19) જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને શું કહે છે?
(A) દ્રાવક
(B) દ્રાવ્ય
(C) દ્રાવણ
(D) એકપણ નહીં
જવાબ : (B) દ્રાવ્ય
(20) ખાંડ પાણીમાં ઓગળે છે તો ખાંડને શું કહેવાય?
(A) દ્રાવક
(B) દ્રાવ્ય
(C) દ્રાવણ
(D) આપેલ તમામ
જવાબ : (B) દ્રાવ્ય
(21) તમારે સીંગના દાણામાંથી ફોતરાં દૂર કરવાં છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?
(A) વીણવું
(B) ચાળવું
(C) ઊપણવું
(D) ગાળવું
જવાબ : (C) ઊપણવું
(22) ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?
(A) વીણવું
(B) ચાળવું
(C) ઉપણવું
(D) ગાળવું
જવાબ : (B) ચાળવું
(23) પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
(A) બાષ્પીભવન
(B) ઘનીભવન
(C) નિતારણ
(D) આપેલ તમામ
જવાબ : (A) બાષ્પીભવન
(24) પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
(A) બાષ્પીભવન
(B) ઘનીભવન
(C) નિતારણ
(D) આપેલ તમામ
જવાબ : (B) ઘનીભવન
(25) ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો?
(A) સૂપડું
(B) ચાળણી
(C) ફિલ્ટર પેપર
(D) આપેલ તમામ
જવાબ : (C) ફિલ્ટર પેપર
(26) સમુદ્રના પાણીની વરાળ બનવા માટે કઈ ક્રિયા કારણભૂત છે?
(A) બાષ્પીભવન
(B) ઘનીભવન
(C) નિસ્યંદન
(D) આપેલ તમામ
જવાબ : (A) બાષ્પીભવન
(27) ઘરમાં બનાવવામાં આવતા પનીરની બનાવટમાં કઈ ક્રિયા ઉપયોગી છે?
(A) ગાળણ
(B) નિતારણ
(C) ચાળવું
(D) આપેલ તમામ
જવાબ : (A) ગાળણ
(28) જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે?
(A) દ્રાવક
(B) દ્રાવ્ય
(C) દ્રાવણ
(D) એકપણ નહિ
જવાબ : (A) દ્રાવક
(29) ખાંડના સંતૃપ્ત દ્રાવણને ઠંડું પાડતાં શો ફેરફાર થશે?
(A) અસંતૃપ્ત બનશે.
(B) કોઈ ફેર નહી થાય.
(C) સંતૃપ્ત દ્રાવણે રહેશે, ખાંડ દેખાશે.
(D) અસંતૃપ્ત દ્રાવણ બનશે, ખાંડ દેખાશે.
જવાબ : (C) સંતૃપ્ત દ્રાવણે રહેશે, ખાંડ દેખાશે.
(30) જ્યાં પાણી હાજર હોય ત્યાં કઈ ક્રિયા થાય છે?
(A) નિતારણ
(B) બાષ્પીભવન
(C) ગાળણ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(31) રસોડામાં કામ કરતાં શારદાબેન ભૂલથી ચણામાં બાજરી નાંખી દે છે તો બાજરી અને ચણાને અલગ કરવા શું કરવું પડશે?
(A) વીણવું
(B) ચાળવું
(C) ઉપણવું
(D) છડવું
જવાબ : (B) ચાળવું
(32) હાથથી વીણવાની પ્રક્રિયા કેવા પ્રકારના ઘટકોને અલગ કરવામાં અસરકારક છે?
(A) વાયુ મિશ્રણ
(B) પ્રવાહી મિશ્રણ
(C) ઘન મિશ્રણ
(D) એકપણ નહિ
જવાબ : (C) ઘન મિશ્રણ
(33) તમે પોતાના ઘરે લાવેલ ઘઉં વીણો છો, આ કેવા પ્રકારના પદાર્થના અલગીકરણનું ઉદાહરણ છે?
(A) ઘન - વાયુ
(B) ઘન – પ્રવાહી
(C) ઘન – ઘન
(D) પ્રવાહી – વાયુ
જવાબ : (C) ઘન – ઘન
(34) જયારે કાપડના ટુકડા પર ગરમ કરીને ઠંડું પાડેલું દૂધ રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે, આ રીતે દૂધ માંથી મલાઈ અલગ કરવાની રીતને શું કહેવાય?
(A) નિક્ષેપન
(B) નિતારણ
(C) ગાળણ
(D) બાષ્પીભવન
જવાબ : (C) ગાળણ
(35) આકૃતિ અલગીકરણની કઈ પદ્ધતિ દર્શાવે છે?
(A) બાષ્પીભવન
(B) ઘનીભવન
(C) ગાળણ
(D) બાષ્પીભવન અને ઘનીભવન
જવાબ : (D) બાષ્પીભવન અને ઘનીભવન