ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 1. આહારના ઘટકો
સ્વાધ્યાય
પ્રશ્ન 1. આપણા ખોરાકનાં મુખ્ય પોષકતત્વોનાં નામ લખો.
ઉત્તર : (1) કાબૉદિત (2) પ્રોટીન (3) ચરબી (4) વિટામિન (5) ખનીજ ક્ષાર. આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે, જે શરીરને ઉપયોગી છે.
પ્રશ્ન 2. નીચે આપેલાનાં નામ લખો :
(a) પોષકદ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે.
ઉત્તર : કાર્બોદિત અને ચરબી
(b) પોષકદ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે.
ઉત્તર : પ્રોટીન
(c) વિટામિન કે જે આપણી સારી દષ્ટિ માટે જવાબદાર છે.
ઉત્તર : વિટામિન A
(d) ખનીજકક્ષારો કે જે હાડકાંને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે.
ઉત્તર : કૅલ્શિયમ અને ફૉસ્ફરસ
પ્રશ્ન 3. બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષકદ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે.
(a) ચરબી : ઘી, તેલ, માંસ, ઈંડાં
(b) સ્ટાર્ચ : ચોખા, ઘઉં, મકાઈ, બટાટા
(c) પાચક રેસા (રૂક્ષાંશ) : અનાજ, કઠોળ, લીલાં શાકભાજી
(d) પ્રોટીન : કઠોળ, માંસ, માછલી, દૂધ
પ્રશ્ન 4. આપેલમાંથી સાચાં વિધાનો માટે (✓) ની નિશાની કરો :
(a) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરનાં પોષણની આવશ્યક્તાઓ પૂરી કરી શકીએ છીએ.
ઉત્તર : ખોટું (×)
(b) ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે.
ઉત્તર : સાચું (✓)
(c) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ.
ઉત્તર : સાચું (✓)
(d) શરીરને બધાં જ પોષકદ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે.
ઉત્તર : ખોટું (×)
પ્રશ્ન 5. ખાલી જગ્યાની પૂર્તિ કરો.
(a) …………..વિટામિન D ની ઊણપથી થાય છે.
ઉત્તર : સુકતાન
(b) ……………ની ત્રુટિ (ઊણપ) થી બેરીબેરીનો રોગ થાય છે.
ઉત્તર : વિટામિન B
(c) વિટામિન C ની ત્રુટિ (ઊણપ) થી થતો રોગ............નામે ઓળખાય છે.
ઉત્તર : સ્કર્વી
(d) આપણા આહારમાં..........ના અભાવથી રતાંધળાપણું થાય છે.
ઉત્તર : વિટામિન A